કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસ પર છે ત્યારે માતા વૈષ્ણોદેવીનાં દર્શન બાદ તેમણે કાશ્મીરી પંડિતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
હું કાશ્મીરી પંડિત છું : રાહુલ ગાંધી
કાશ્મીર આવું એટલે એવું લાગે છે કે ઘરે આવ્યો છું : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં સિમ્બોલનો અર્થ સમજાવ્યો
હું પોતે કાશ્મીરી પંડિત છું : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ અને કાશ્મીરનાં પ્રવાસ પર છે ત્યારે તેમણે વૈષ્ણોદેવી માતાજીનાં દર્શન કર્યા બાદ મોટી સભા સંબોધી જેમાં મોટા નિવેદનો કર્યા છે. જમ્મૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો પરિવાર કાશ્મીરી પંડિત છે. હું જ્યારે પણ જમ્મૂ કાશ્મીરમાં આવું છું ત્યારે એવું લાગે છે કે મારા ઘરે જ આવ્યો છું.
जब भी मैं जम्मू कश्मीर में आता हूँ तो मुझे लगता है कि 'मैं घर आया हूँ' और उसी भावना के साथ आज मैं आप सभी को यह कहना चाहता हूँ कि वैष्णो देवी के दर्शन करके मुझे लगा कि 'मैं घर आया हूँ': श्री @RahulGandhi#JammuWithRahulGandhipic.twitter.com/sQlJdbSSAL
રાહુલ ગાંધીએ જય માતાજીનાં નારાથી ભાષણની કરી શરૂઆત
ગુરુવારે રાહુલ ગાંધીએ કટરામાં વૈષ્ણોદેવી માતાનાં દર્શન કર્યા અને રાત ત્યાં જ વિતાવી હતી. આજે જમ્મૂમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ આશ્વાસન પણ આપ્યું કે તેઓ કાશ્મીરી પંડિતોની મદદ કરશે.
હું ખોટું નથી બોલતો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે હું મા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા માટે ગયો ત્યારે એવું લાગ્યું કે હું તો મારા ઘરે જ આવ્યો છું. મારો પરિવાર પણ કાશ્મીરી પંડિત છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જે પણ બોલું છું તે ક્યારેય ખોટું બોલતો નથી. જેટલા પણ કાશ્મીરી પંડિત ભાઈઓ છે હું તમારા બધાની મદદ કરીશ.
હાથનાં સિમ્બોલનો અર્થ સમજાવ્યો
સભામાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સત્યથી ડરે છે. તેમણે કોંગ્રેસનાં હાથ વિશે કહ્યું કે લોકો કહે છે કે હાથનો સિમ્બોલ એટલે આશીર્વાદ હોય છે. ના, હાથ સિમ્બોલનો મતલબ આશીર્વાદ નથી હોતો. હાથ સિમ્બોલનો મતલબ ડરો નહીં તેવો થાય છે, સત્ય બોલવાથી ન ડરો એ છે કોંગ્રેસ પાર્ટીનો સિમ્બોલ.