કોરોના વાયરસના વધતાં કહેર વચ્ચે હવે રાહુલ ગાંધીએ પણ લોકડાઉનની માંગ કરી છે.
ભારતમાં કોરોના વાયરસનું મોટું સંકટ
રાહુલ ગાંધીએ લોકડાઉન કરવા માંગ કરી
અત્યાર સુધી રાહુલ ગાંધી પોતે લોકડાઉનની ટીકા કરતાં હતા
સરકારની નિષ્ક્રિયતાના લીધે મરી રહ્યા છે લોકો : રાહુલ ગાંધી
ભારતમાં કોરોના વાયરસના વધતાં સંકટની વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત સરકારને ફરીથી સલાહ આપી છે. મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકડાઉન કરવાની માંગ કરી. કોંગ્રેસના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત સરકાર સમજી નથી રહી, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એક માત્ર ઉપાય લૉકડાઉન જ છે. પરંતુ સમાજમાં ન્યાય યોજનાના લાભ આપવાની સાથે જ. ભારત સરકારની નિષ્ક્રિયતા માસૂમ લોકોને મારી રહી છે.
અત્યાર સુધી લોકડાઉનનો વિરોધ કરતાં હતા રાહુલ ગાંધી
નોંધનીય છે કે આ પહેલા જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી લોકડાઉનના વિરોધમાં પોતાનો મંતવ્ય મૂકતાં હતા, ગયા વર્ષે જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ તેની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું હતું કે લોકડાઉન તો માત્ર કોરોનાની સ્પીડને રોકી શકે છે. જોકે હવે રાહુલ ગાંધી પોતે કહી રહ્યા છે કે દેશમાં લોકડાઉન કરી દેવું જોઈએ.
ભારતમાં ભયંકર કહેર
નોંધનીય છે કે ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા 15 દિવસમાં દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.
રાજ્યોમાં લાગી રહ્યા છે પ્રતિબંધો
નોંધનીય છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં જુદા જુદા પ્રતિબંધ લગાવી દેવામાંઆ આવ્યા છે. ઘણા રાજ્યોમાં તો લોકડાઉન જ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મિનિ લોકડાઉન જેવી જ પરિસ્થિતિ છે.