કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને ભારતને દુનિયામાં બળાત્કારની રાજધાની બતાવી છે. તેઓએ કહ્યું કે ભારત દુનિયાના બળાત્કારની રાજધાનીના રૂપે ઓળખવામાં આવે છે. પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ બળાત્કાર અને હત્યાના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના કેસમાં વડાપ્રધાનના મૌન રહેવા પર સવાલ ઉઠાવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું, કેમ ભારત પોતાની દિકરીઓની સુરક્ષા કરી શકતું નથી
બળાત્કારના આરોપી બીજેપી નેતા પર પીએમ મોદી એક શબ્દ બોલતા નથી : રાહુલ ગાંધી
દેશમાં વધી રહેલી હિંસક અને બળાત્કારની ઘટનાઓ માટે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ કહ્યું, ભારત દુનિયામાં બળાત્કારની રાજધાની રૂપે ઓળખવામાં આવે છે. બીજા દેશ પૂછી રહ્યા છે કે કેમ ભારત પોતાની દિકરીઓની સુરક્ષા કરી શકતું નથી. એક બીજેપી ધારાસભ્ય એક મહિલાના બળાત્કારમાં સામેલ છે. પરંતુ પીએમ મોદી તેના પર એક શબ્દ પણ બોલતા નથી.
આ પહેલા કોંગ્રેસ નેતાએ ઉન્નાવ બળાત્કાર પીડિતાની મોત પર દુ:ખ દર્શાવ્યું. તેઓએ ટ્વિટ કર્યું, ઉન્નાવની નિર્દોષ પુત્રીની દુખદ અને હૃદય વિદારક મોત, માનવતા માટે શરમજનક ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દિકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડી દીધો. દુ:ખની આ ઘડીએ પીડિત પરિવારના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરુ છું.
#WATCH Rahul Gandhi in Wayanad,Kerala: India is known as the rape capital of the world. Foreign nations are asking the question why India is unable to look after its daughters & sisters. A UP MLA of BJP is involved in rape of a woman & the Prime Minister doesn't say a single word pic.twitter.com/FOE35sflGT
દેશમાં વધી રહેલી હિંસક અને બળાત્કારની ઘટનાઓ માટે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે આવી ઘટનાઓ એટલા માટે વધી રહી છે કેમકે વર્તમાન સરકાર હિંસામાં વિશ્વાસ રાખે છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીનું નામ લીધા વિના કહ્યું કે, સંસ્થાગત સંરચનાઓના નિષ્ફળ થવા પાછળ મોટુ કારણ છે. લોકો દ્વારા કાયદાને હાથમાં લેવાનું એક કારણ છે. આવુ એટલા માટે છે, કેમકે જે વ્યક્તિ આ સમયે દેશને ચલાવી રહી છે તે હિંસામાં વિશ્વાસ રાખે છે.
વધી ગયો છે અત્યાચાર
રાહુલ ગાંધીએ કહ્યું, આપ જોઇ રહ્યા હશો કે, દેશમાં હિંસા, અધર્મ અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર વધી ગયો છે. રોજ કોઇને કોઇ મહિલા સાથે બળાત્કાર અને છેડતીના સમાચાર મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લઘુમતિઓ વિરુદ્ધ હિંસા અને ઘૃણા ફેલાવાઇ રહી છે. દલિતો વિરુદ્ધ હિંસા અને અત્યાચાર વધી રહ્યા છે. આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચાર અને તેમની જમીનો છિનવી લેવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તમામ અચાનક એટલા માટે વધી ગયું છે કેમકે જે વ્યક્તિ આ સમયે દેશ ચલાવી રહી છે, તે હિંસા અને નિરંકુશ શાસનમાં વિશ્વાસ કરે છે.