કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે જો તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં જીતે છે અને સત્તામાં આવે છે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. UAEને બે દિવસની યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ દુબઈમાં લૅબર કૉલોનીમાં એકત્રિત થયેલા ભારતીયોને સંબોધન કર્યુ હતું.
ગાંધીએ કહ્યું કે જેવી જ અમારી સરકાર સત્તામાં આવશે અમે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આંધ્ર પ્રદેશ અને તેલંગણાને 2 જૂન 2014ના રોજ વિભાજન કરીને અલગ રાજ્ય બનાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું તમે ભારત ભારતીય રાજ્યો અને ગરીબ લોકોની મદદ તથા દુબઈ શહેરને બનાવવા માટે કામ કર્યુ જે પૂરા વિશ્વમાં મહાન છે. હું આપ સૌનો આભાર માનું છું.
સંયુક્ત અરબ અમીરાતના વિકાસની પ્રશંસા કરતા ગાંધીએ કહ્યું કે તમે અહીં જે વિકાસ જુઓ છો મોટી ઇમારતો મોટા ઍરપોર્ટ અને મેટ્રો આ તમામ તમારા યોગદાન સિવાય શક્ય ન હતું. તેમણે કહ્યું તમે આ શહેરના વિકાસ માટે જે તમારું લોહી-પરસેવો અને સમય આપ્યો છે તેનાથી તમામ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો અપાવવાની માંગને લઈને ગત વર્ષમાં માર્ચમાં જંતર-મંતર પર પ્રદર્શન કરનારી પાર્ટી કાર્યકર્તાઓના સમૂહને અપાયેલા નિવેદનને ફરીથી આજે કહ્યું હતું.
This evening I had an excellent meeting with the Vice President & Prime Minister of UAE @HHShkMohd the architect of modern Dubai. The bonds between India & the UAE have stood the test of time. I am committed to helping build an even stronger relationship between our countries. pic.twitter.com/RsvCGSM521
રાહુલે ગયા વર્ષે કાર્યકર્તાઓને કહ્યું હતું કે અમે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. 2019માં સત્તામાં આવ્યા બાદ સૌપ્રથમ આ કામ કરીશું. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણે એકસાથે આગળ આવ્યાં તો આપણે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વાત માટે રાજી કરી લઈશું કે જે આંધ્ર પ્રદેશના લોકોનું જે બાકી છે તે તેમને મળવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી આ વર્ષે ઍપ્રિલ અને મે મહિનાની વચ્ચે થવાની છે.