પુણેઃ લોકસભા ચૂંટણીનાં ઠીક પહેલાં પુણેમાં વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરવા પહોંચેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારનાં રોજ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી ભલે જ તેમનાં પ્રત્યે ગુસ્સાની ભાવના રાખતા હોય પરંતુ તેઓ તેમને પ્રેમ કરે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું પીએમ મોદી પ્રત્યે કોઇ પણ પ્રકારની નફરત નથી રાખતો પરંતુ તેઓ મારા પ્રત્યે ગુસ્સો રાખે છે. રાહુલ ગાંધીનું આટલું બોલતાંની સાથે જ ત્યાં વિદ્યાર્થીઓએ મોદી-મોદીનાં સૂત્રોચ્ચાર કરવાનાં શરૂ કરી દીધાં. આ દરમ્યાન રાહુલ ગાંધી હસતા રહ્યાં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, '22 લાખ સરકારી પદ ખાલી છે. આપણે શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાને માટે બુનિયાદી ઢાંચાનું નિર્માણ કરવાની આવશ્યકતા છે અને આ ખાલી પદોંને ભરવાથી પૂર્ણ થશે. જ્યારે અમે સત્તામાં આવીશું તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓનાં 33% મહિલાઓને માટે આરક્ષિત હશે. રાષ્ટ્રીય સ્તર પર તમામ નોકરીઓનાં 33% ભાગ મહિલાઓને માટે આરક્ષિત હશે.' તેઓએ કહ્યું કે, રાજનેતાઓને માટે રિટાયરમેન્ટની ઉંમર હોવી જોઇએ. 60 વર્ષ બાદ નેતાઓએ રિટાયર થઇ જવું જોઇએ.
વિદ્યાર્થીઓ સાથેનાં સવાલ-જવાબમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર પોતાનો વિચાર રાખ્યો. તેઓએ કહ્યું કે, 'હું ખોટાં વાયદા નથી કરતો. હું સત્ય બોલું છું. મને ખોખલા વાયદાઓ કરવા પસંદ નથી. અનેક વાર જ્યારે હું સત્ય બોલું છું તો આ ખૂબ રોમાંચક નથી લાગતું. જો હું એમ કહું છું કે અમે 5 કરોડ પરિવારોને 72 હજાર રૂપિયા આપીશું તો તે થશે. આને માટે ના તો મધ્યમ વર્ગ પર ભાર નાખવામાં આવશે અને ના તો ઇન્કમ ટેક્સ વધારવામાં આવશે.
નોટબંધી એક વિનાશકારી વિચાર હતોઃ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નોટબંધી એક વિનાશકારી વિચાર હતો. આની ભારતની અર્થવ્યવસ્થા પર ખૂબ ખોટી અસર પડી છે. અમારી સરકાર જોબ વધારશે જેથી નોટબંધીની અસર ઓછી થઇ જાય. અમારી બેંકિંગ સિસ્ટમ પર 20થી 25 લોકોનો કબ્જો છે. આમાં યુવાઓની ભાગીદારી વધારવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, યોજના આયોગને ફરીથી લાવવામાં આવશે. જો કે તેનાં સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવી શકે છે.