પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા જાય છે. જેમાં હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જો કે, કોંગ્રેસ પાર્ટી માટે ફરી એક વાર વિચાર કરવાનો સમય આવી ગયો છે. એકેય રાજ્યમાં કોંગ્રેસ કંઈ કમાલ કરી શકી નથી.
પાંચમાંથી એકેયમાં કંઈ ઉકાળી શકી નહીં પાર્ટી
જનતાના મુદ્દા ઉઠાવતા રહીશું
ચૂંટણી પરિણામ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
પાંચ રાજ્યોમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભઆ ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. કોઈ પણ રાજ્યમાં પાર્ટી સરકાર બનાવતી દેખાતી નથી. આ પરિણામ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયાઓ આપી છે. તેમણે કહ્યું કે, અમે જનમત સ્વિકાર્યો છે. જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ. હું તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને સ્વયંસેવકોને તેમની આકરી મહેનત અને સમર્પણ માટે ધન્યવાદ આપુ છું. અમે આમાંથી શિખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરતા રહીશું.
Humbly accept the people’s verdict. Best wishes to those who have won the mandate.
My gratitude to all Congress workers and volunteers for their hard work and dedication.
We will learn from this and keep working for the interests of the people of India.
ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ યુપીમાં કોંગ્રેસ માત્ર બે સીટો પર આગળ છે. તો વળી ઉત્તરાંખડમાં 18, પંજાબમાં 18, ગોવામાં 11 અને મણિપુરમાં ચાર સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસને પંજાબમાં સત્તા ખોવાનો વારો આવ્યો છે. અહીં કુલ 117 સીટોમાં આમ આદમી પાર્ટીને 92 સીટો પર જીત મળતી દેખાઈ રહી છે.
જનતાના મુદ્દા ઉઠાવતા રહીશું
કોંગ્રેસ પંજાબ અને ગોવામાં જીત માટે આશાન્વિત હતી, કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, લોકતંત્રમાં જનતાનો વિવેર અને જનતાનો આદેશ સર્વોપરી હોય છે. અમે આજે જનાદેશનું સન્માન કરીએ છીએ અને જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરીએ છીએ. મોંઘવારી, બેરોજગારી, સરકારી સંપત્તિઓની હરાજી, રખડતા ઢોર, મહિલાઓ અને દલિતો પર અત્યાચાર અને જનતાના તમામ વાસ્તવિક મુદદ્દા પર અમારી લડાઈ ચાલુ રહેશે.
કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો થયાં
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. તેનાથી લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી એ તમામ ચાર રાજ્યો પર ફરીથી સત્તા સંભાળવા માટે તૈયાર છે. જેના પર તે શાસન કરી રહી હતી. તો વળી કોંગ્રેસ પંજાબને ખોવા જઈ રહ્યું છે. ત્યારે આવા સમયે કોંગ્રેસ નેતૃત્વ અને ટીમ પર ફરી એક વાર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે, આ ટીમ એ જ છે, જે પડદાની પાછળ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કામ કરી રહ્યા છે.
કોંગ્રેસના ખાલી હાથ રહ્યા
રાહુલ ગાંધીની ટીમની વાત કરીએ તો, તેમાં સૌથી શરૂઆતી નામ કે.સી વેણૂગોપાલ, રણદીપ સુરજેવાલા વગેરે આવે છે. આ એ રાજ્યોના પ્રભારી હતા, જેમાં ચૂંટણી હતી. પણ હવે તેઓ આ રાજ્યોને બચાવી શક્યા નથી. ત્યાં સુધી કે, જ્યાં કોંગ્રેસની સરકાર હતી, ત્યાં પણ ખાલી હાથે પાછા આવવું પડ્યું. પંજાબ હવે ખોવાનો વારો આવ્યો છે.
ઉત્તરાખંડમાં પરંપરા તૂટી
ઉત્તરાખંડ જ્યારથી બન્યું છે, ત્યારથી દર પાંચ વર્ષે સરકાર બદલી નાખવાની પરંપરા ધરાવે છે, પણ કોંગ્રેસ આ પરંપરાને તોડી શકી નથી અને ફરી એક વાર ભાજપ જ સત્તામાં વાપસી કરી રહી છે. અહીં પાર્ટીમાં અંદરખાને જે ડખ્ખા હતા, તે ચૂંટણીમાં પણ સામે આવ્યા છે. જેના કારણે બે ઉપ પાર્ટીઓમાં વિભાજિત થઈ ગઈ. જે એક સાથે કામ કરવા માટે તૈયાર નહોતા.
ગોવામાં પણ હાલત ખરાબ
ગોવાની વાત કરીએ તો, અહીં રાજ્ય પ્રભારીઓની હાલત દિનેશ ગુંડુ રાવ, ગિરીશ ચોડનકર અને દિગંબર કામતે લુઈઝિન્હો ફ્લેરિયો જોવા રાજ્યના નેતાઓની ઉપેક્ષા કરી, જે ટીએમસીમાં શામેલ થઈ ગયા અને ફ્રાંસિસ્કો સરડીન્હા જેવા હતા, તેમને સાઈડમાં કરી નાખવામાં આવ્યા અને ત્યાં સુધી કે, પી.ચિદંમ્બર, જે વરિષ્ઠ નિરીક્ષક હતા, તમામ ઉમેદવારોની પસંદગી કરી શક્યા નહીં.