અર્થવ્યવસ્થાને લઈને રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ઘટતા જીડીપીને લઈને રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિને જવાબદાર ગણાવી રહ્યા છે. રવિવારે તેઓએ જીસીટીની વાતમાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીના ફરી GST મુદ્દે કેન્દ્ર પર પ્રહાર
GDP માટે ગબ્બર સિંહ ટેક્સ જવાબદાર: રાહુલ
ગબ્બર સિંહ ટેક્સથી ઘણું બરબાદ થયુ: રાહુલ
GDP में ऐतिहासिक गिरावट का एक और बड़ा कारण है- मोदी सरकार का गब्बर सिंह टैक्स (GST)।
इससे बहुत कुछ बर्बाद हुआ जैसे-
▪️लाखों छोटे व्यापार
▪️करोड़ों नौकरियाँ और युवाओं का भविष्य
▪️राज्यों की आर्थिक स्थिति।
રાહુલ ગાંધીનું માનવું છે કે મોદી સરકાર યોગ્ય રીતે જીએસટીને લાગૂ કરવામાં નિષ્ફળ રહી છે. રાહુલે જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબ રાખ્યા છે જે ખોટું છે. જીડીપીમાં ઘટાડાનું આ મોટું કરાણ છે. સરકારે જીએસટીની મદદથી તેની પર હુમલો કર્યો છે જે દેશની જીવાદોરી છે.
રાહુલ ગાંધીએ ફરી GST મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું છે કે GDP માટે ગબ્બર સિંહ ટેક્સ જવાબદાર છે આ સિવાય ગબ્બર સિંહ ટેક્સથી ઘણું બરબાદ થયું છે. લાખો નાના વેપારીઓ બરબાદ થયા છે અને સાથે જ કરોડો નોકરીઓ-યુવાઓનું ભાવિ બરબાદ થયું છે. રાજ્યોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થવાની સાથે જ સર્વનાશ સર્જાયો છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી પ્રહાર કર્યા છે.
નાના કામદારો છે મુશ્કેલીમાં
તેઓએ ફરીથી જીએસટીને મોદી સરકારને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે ખોટી રીતે જીએસટી લાગૂ કરવાના કારણે લાખો નાના વ્યાપાર બર્બાદ થયા છે. કરોડો નોકરીઓ અને યુવાઓનું ભવિષ્ય લટકી રહ્યું છે. સૌથી વધારે નુકસાન રાજ્યોની સાથે થયું છે. કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીના રૂપિયા આપી શકી નથી. આ દેશના ગરીબોની સાથે બેદરકારી દાખવી રહી છે. તેઓએ મોદી સરકારને જીએસટીને આર્થિક સર્વનાશ ગણાવ્યો છે. રાહુલ ગાંધીનું માનીએ તો મોદી સરકારે જીએસટીમાં 4 સ્બેલ બનાવ્યા છે તેનાથી મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે અને આ જીસટીમાં ફક્ત 15-20 ઉદ્યોગપતિઓ છે તેઓની મરજીથી જીએસટીના નિયમોમાં ફેરફાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રીનિવાસે કહ્યું કે વડા પ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, આ પ્રમાણે છ વર્ષમાં 12 કરોડ રોજગાર આપવો પડ્યો. પરંતુ મોદી સરકારે 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે.