ભારત જોડો યાત્રા દરમિયાન ઇન્દોરમાં એક પ્રેસ કોન્ફેરેન્સમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનની નવા સીએમની જંગ પર કહ્યું કે હું તેમાં વધુ જવા ઇચ્છીશ નહીં તો બીજી તરફ રાહુલે ગહેલોત અને પાયલટ બંનેને પાર્ટીની સંપત્તિ જણાવ્યું.
ઇન્દોરમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફેરેન્સમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનનાં રાજકીય મતભેદો પર જવાબ આપ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલાં અશોક ગહેલોત અને સચિન પાયલટનાં વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંને નેતા કોંગ્રેસ માટે સંપત્તિ છે. જો કે રાહુલ પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન ગહેલોત અને પાયલટ વિવાદ પર વધુ બોલવાથી બચતાં દેખાઇ રહ્યાં હતાં.
તેમણે આ વિષય પર ખુલીને વાત કરી નહીં
રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં આ પ્રકરણ પર ખુલીને કોઇ વાત કરી નથી અને સંક્ષેપમાં જવાબ આપતાં રાહુલ ગાંધી મંદ સ્મિત આપવા માંડ્યા. તેમણે કહ્યું કે તેમાં વધુ જવા ઇચ્છતો નથી, બંને નેતા અમારી પાર્ટીનાં એસેટ છે. આટલું બોલીને રાહુલ મંદ હસવા માંડ્યા. તેમણે આગળ કહ્યું કે હું એ વાતની ગેરેન્ટી આપુ છું કે આ વિવાદનું ભારત જોડો યાત્રા પર કોઇ અસર પડશે નહીં.
મારી ઇમેજ ખરાબ કરવા માટે થાય છે કરોડો ખર્ચ- રાહુલ
રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન બીજેપી પર પ્રહારો કર્યાં. રાહુલે કહ્યું કે બીજેપી મારી ઇમેજ ખરાબ કરવા માટે આશરે એક હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે પરંતુ મને તેનાથી કોઇ ફરક પડતો નથી. જો કે રાહુલ ગાંધી વારંવાર રાજસ્થાન સંબંધિત પ્રશ્નોને ટાળતાં હતાં. તેમણે એવું પણ કહ્યું કે અમે ભારત જોડો યાત્રાની યોજના આજે નથી બનાવી. છેલ્લા એક વર્ષથી અમે તેની પ્લાનિંગ પર કામ કરી રહ્યાં હતાં.
અમેઠીને લઇને રાહુલનું મોટું નિવેદન
તો બીજી તરફ રાહુલ ગાંધીએ તેમની પરંપરાગત બેઠક અમેઠી પરથી ચૂંટણી લડવા અંગે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું કે અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય તેઓ એકાદ વર્ષ પછી જાહેર કરી દેશે.