કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ચૂંટણી પંચ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પંચનું સમર્પણ જાહેર છે. લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડના કેદારનાથની યાત્રા સહિત અન્ય ઘણા ઉદાહરણ આપ્યા અને ચૂંટણી પંચ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ''ચૂંટણી બોન્ડ અને ઇવીએમથી લઇને ચૂંટણી કાર્યક્રમમં છેડછાડ સુધી, નમો ટીવી, મોદીઝ આર્મી અને હવે કેદારનાથના નાટક સુધી ચૂંટણી પંચનું મિસ્ટર મોદી અને તેમની ગેંગ સમક્ષ સમર્પણ તમામ ભારતીયો સામે જાહેર છે''. એમણે લખ્યું કે, ''ચૂંટણી પંચનો ડર રહેતો હતો અને તેમનું સન્માન થતું હતું. પરંતુ હવે નથી રહ્યું''.
From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians.
The EC used to be feared & respected. Not anymore.
આપને જણાવીએ કે એક દિવસ પહેલા જ ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને કહ્યું હતું કે કથિત આચાર સંહિતા ઉલ્લંઘનને લઇને વડાપ્રધાનને પંચની મંજૂરી પર તેમની અસહમતી નોંધવામાં આવી નહોતી, તેથી એમણે ચૂંટણી પંચની બેઠકોથી દૂર રહેશે.
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કોઇ નેતા ચૂંટણી પંચ પર ભેદભાવપૂર્ણ વલણ રાખવાનો આરોપ લગાવતા રહ્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પણ પંચ પર નિશાન સાધતા કહ્યું, ''અમારો આરોપ હતો કે ચૂંટણી પંચ ઠીકથી કામ નથી કરી રહ્યું. હવે અમે તેથી આગળ વધી કહી રહ્યા છીએ કે ચૂંટણી પંચે પોતાની સ્વતંત્રતા અને અધિકારોને પૂર્ણ રીતે સમર્પણ કરી નાંખ્યા છે. શરમજનક.''