કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે 1975 ની ઈમરજન્સી ભૂલ હતી, પરંતુ ત્યારે જે થયું અને આજે જે થઈ રહ્યું છે તેમાં ફર્ક છે.
કોર્નેલ યુનિવર્સિટીના વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં રાહુલે કરી આ ટીપ્પણી
પોતાની ભૂલ માની લેવી સાહસનું કામ
ન્યાયપાલિકાથી કોઈ આશા નથી
રાહુલે કહ્યું કે પોતાની ભૂલ માની લેવી સાહસનું કામ છે. રાહુલ ગાંધી પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીના વર્ચ્યુઅલ પ્રોગ્રામને સંબોધિત કરી રહ્યાં હતા.
રાહુલે જણાવ્યું અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. ન્યાયપાલિકાથી કોઈ આશા નથી. આરએસએસ-ભાજપની પાસે ખૂબ આર્થિક તાકાત છે. ઉદ્યોગપતિઓને વિપક્ષમાં પક્ષમાં ઊભા રહેવાની મંજૂરી નથી. લોકશાહીય અવધારણા પર આ સમજી-વિચારી ચાલ છે.
રાહુલે કહ્યું કે હું ઘણા વર્ષોથી કોંગ્રેસની આંતરિક લોકશાહીના પ્રોત્સાહનની વાતો કરી રહ્યો છું.. આને માટે મારી જ પાર્ટીના લોકોએ મારી ટીકા કરી હતી. મેં મારી પાર્ટીના લોકોને કહ્યું હતું કે પાર્ટીમાં આંતરિક લોકશાહી લાવવી જરુરી છે. આધુનિક લોકશાહીય વ્યવસ્થા એટલા માટે પ્રભાવી છે કારણ કે તેની પાસે સ્વતંત્ર સંસ્થાઓ છે પરંતુ ભારતમાં લોકશાહીય સંસ્થાઓ પર હુમલા કરાઈ રહ્યાં છે.