કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું છે, જેના લીધે ભાજપ અને અન્ય વિરોધ પક્ષના નેતાઓ તેમના પર વધુ આક્રમક બની શકે છે.
રાહુલ ગાંધીએ કેરળમાં આપ્યું નિવેદન
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ
યુપી સીએમ આદિત્યનાથ અને એમપી સીએમ શિવરાજસિંહે પણ કરી આલોચના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ઉત્તર ભારતમાં વિવિધ પ્રકારના રાજકારણના ટેવાઈ ગયા છે અને કેરળ આવવું એ તેમના માટે એક નવો અનુભવ છે કારણ કે અહીંના લોકોને મુદ્દાઓમાં વધુ રસ છે.
I was talking to some students in the US & I said that I really enjoy going to Kerala. It's not just affection but the way you do your politics. If I might say so, the intelligence with which you do your politics. So, for me, it's been learning experience & pleasure: Rahul Gandhi
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ત્રિવેન્દ્રમમાં કહ્યું, 'પહેલા 15 વર્ષ હું ઉત્તરમાં સાંસદ હતો. મને એક અલગ પ્રકારનાં રાજકારણની ટેવ પડી ગઈ છે. મારા માટે કેરળ આવવું ખૂબ જ તાજગીભર્યું હતું કારણ કે મને અચાનક લાગ્યું કે લોકો મુદ્દાઓમાં રુચિ ધરાવે છે અને માત્ર ઉપરછલ્લું જ નહીં, પણ મુદ્દાઓ વિશે વિગતવાર જાણકારી મેળવવામાં રસ ધરાવે છે.'
તેમણે કહ્યું, 'હું અમેરિકાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો અને મેં કહ્યું હતું કે કેરળ જવાનો મને ઘણો આનંદ છે. તે માત્ર સ્નેહ નથી, પરંતુ તમે જે રીતે તમારી રાજનીતિ કરો છો. જો હું એમ કહી શકું, તો પછી તમે જે રીતે તમે રાજનીતિ કરો છો તે તો મારા માટે શીખવાનો અનુભવ અને આનંદ છે. '
जहाँ-जहाँ पाँव पड़े राहुल गांधी के, तहाँ-तहाँ कांग्रेस का बंटाधार!
राहुल जी ने पहले उत्तर भारत को कांग्रेस मुक्त कर दिया, अब दक्षिण को चले हैं!
हमारे और जनता के लिए पूरा देश एक है। कांग्रेस भारत को उत्तर और दक्षिण में बाँटना चाहती है, जनता ऐसे प्रयासों को सफल नहीं होने देगी। pic.twitter.com/6HBzvn10KI
રાહુલ ગાંધી 2004 થી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 2019 માં, તેમણે અમેઠી સાથે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી હતી. તેઓ વાયનાડ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ભાજપના સ્મૃતિ ઈરાનીના હાથે અમેઠીથી હારી ગયા હતા.
श्रीमान राहुल जी,
श्रद्धेय अटल जी ने कहा था कि 'भारत जमीन का टुकड़ा नहीं, जीता जागता राष्ट्रपुरुष है'
कृपया आप इसे अपनी ओछी राजनीति की पूर्ति के लिए 'क्षेत्रवाद' की तलवार से काटने का कुत्सित प्रयास न करें।
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન માટે રાહુલ પર નિશાન સાધતા કહ્યું કે, અહેસાન ફરામોશ! આમના માટે તો દુનિયા કહે છે કે પોલો ચણો, વાગે ઘણો. જો કે આ પછી ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.