રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મનોદી પર પ્રહાર કર્યા. PM મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધીત કર્યા હતા. જેમા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા લોકો સુધી વેક્સિન પહોચાડો બાદમાં મન કી બાત કહેજો
રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર
પહેલા લોકો સુધી વેક્સિન પહોચાડો બાદમાં મન કી બાત કહેજો: રાહુલ ગાંધી
ટ્વીટર વીડિયો અપલોડ કરીને કર્યા પ્રહાર
રાહુલ ગાંધી અવાર નવાર વડાપ્રધાન મોદી સામે પ્રહાર કરતા હોય છે. ત્યારે વધુંમાં ફરી એક વાર તેમણે વેક્સિનેશનને લઈને વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. વેક્સિનેશનની સ્પીડને લઈને રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું છે કે પહેલા તેઓ દરેક દેશવાસીઓ સુધી વેક્સિન પહોચાડે બાદમાં ગમે ત્યારે મન કી બાત સંભળાવજો.
ટ્વીટર પર કર્યા પ્રહાર
ટ્વીટર પર ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે પ્રહાર કર્યા છે. જોકે પહેલાથી રાહુલ ગાંધી ટ્વીટર દ્વારાજ કેન્દ્ર સરકાર સામે તેમજ વડાપ્રધાન પર પ્રહારો કરતા આવ્યા છે. ટ્વીટર પર તેમણે વેક્સિનેશનને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે.
ટ્વીટર પર વીડિયો અપલોડ કર્યો
જે વીડિયો રાહુલ ગાંધી શેર કરવામાં આવ્યો છે. તે વીડિયોમાં તેમણે એક ગ્રાફ દ્વારા દેખાડ્યું છે કે દેશમાં દરરોજ કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વીડિયોમાં એ વાતનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે કે રોજ ત્રીસ ચાલીસ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ક્યારેક વેક્સિનનો આંકડો વધે છે. પરંતુ બાદમાં તે આંકડો પરત નીચે આવી જાય છે.
અગાઉ પણ વેક્સિનેશન મામલે પ્રહાર કર્યા હતા
આ પહેલા પણ રાહુલ ગાંધીએ વેક્સિનેશનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જેમા તેઓ ટ્વીટર દ્વારા સરકારને સવાલો કરતા હતા. સાથેજ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર તેમના પીઆર ઈવેન્ટમાંથી બહાર નથી આવી રહી. તે વખતે તેમણે એવું કહ્યું હતું કે વેક્સિનેશન મોટા પ્રમાણમાં નથી થઈ રહ્યું જેથી દેશ સુરક્ષીત નથી સાથેજ તેમણે કહ્યું કે અફસોસ કેન્દ્ર સરકાર PR ઈવેન્ટથી આગળ નથી વધી રહી.
78મી વખત મન કી બાત કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાને આજે 78મી વાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધીત કર્યો હતો. તેમણે કોરોના સામે લડવા માટે પણ લોકોને કહ્યું. પીએમ મોદીએ એવલું કહ્યું હતું કે કોરોના સામેની લડાઈ હજુ પણ ચાલુ છે અને આ લડાઈ આપણે એક થઈને લડવાની છે.
21 જૂને 86 લાખ લોકોનું વેક્સિનેશન
ઉલ્લેખનીય છે કે 21 જૂનથી વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ થયો છે. તે દિવસે આપણા દેશમાં 86 લાખ લોકોએ વેક્સિન મુકાવી હતી. જોકે હાલ દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિએંટને લઈને ચિંતાનો માહોલ છવાયેલો છે તેમજ આ વેરિએંટને કારણે ઘણા રાજ્યોમાં પ્રતિબંધો પણ વધારી દેવામાં આવ્યા છે.