કોરોના વાયરસના સંકટની આ ઘડીમાં દેશના કામદારોને રાહત મળે આ માટે કેન્દ્ર સરકારે મનરેગાના બજેટમાં 40 હજાર કરોડનો વધારો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં સરકારનો આભાર માન્યો હતો જેમાં તેમણે એક જૂનો વીડિયો શેર કર્યો હતો જેમાં PM મોદી મનરેગાની ટીકા કરતા હતા.
રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું કે વડા પ્રધાને UPA સમય દરમિયાન બનાવવામાં આવેલી મનરેગા યોજના માટે 40 હજાર કરોડના વધારાના બજેટને મંજૂરી આપી છે. મનરેગાની જરૂરિયાત અને દૂરદર્શિતા સમજવા અને તેને પ્રોત્સાહન આપવા બદલ તેમનો આભાર માનું છું.
प्रधानमंत्री ने UPA काल में सृजित MNREGA स्कीम के लिए 40,000 करोड़ का अतिरिक्त बजट देने की मंज़ूरी दी है। MNREGA की दूरदर्शिता को समझने और उसे बढ़ावा देने के लिए हम उनके प्रति आभार प्रकट करते हैं।#ModiUturnOnMNREGApic.twitter.com/XMOmhXhVeD
આ વીડિયોમાં PM મોદી સંસદમાં ભાષણ આપતી વખતે ઉલ્લેખ કરે છે કે ભાજપ હંમેશા મનરેગાને રાખી મુકશે કારણ કે આ યોજના કોંગ્રેસની નિષ્ફ્ળતાઓનું પ્રતીક છે. હવે સ્થિતિ એવી થઇ છે કે કેન્દ્ર સરકારે પોતે જ આ યોજનાનો ઉપયોગ કરવો પડે સ્થિતિ આવી ગઈ છે. શનિવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મીડિયાની સાથે દેશની સ્થિતિ અને સરકારની કામગીરી અંગે વીડિયો ચેટ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન તેમણે સરકાર દ્વારા જારી કરાયેલા વિશેષ પેકેજને ખેડુતો અને મજૂરો માટે અપૂરતું ગણાવ્યું હતું.
જરૂરિયાતમંદોને લોન સ્વરૂપે નહીં સીધી નાણાકીય મદદ કરે સરકાર: રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ મુશ્કેલીમાં છે, લોકો ભૂખ્યા છે, તરસ્યા છે, સડક ઉપર પગપાળા ચાલી રહ્યા છે. જ્યારે બાળકને ઇજા પહોંચે છે, ત્યારે મા બાળકને લોન ઉપર ભંડોળ આપવાની વાત કરતી નથી; માતા પહેલા બાળકના ઘા જુએ છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના પગલાં નિરાશાજનક છે અને હું રાજકીય રીતે નથી બોલી રહ્યો; હું ભારતના લોકો વતી બોલું છું. જે પેકેજ હોવું જોઈએ તે દેવારૂપી એટલે કે લોનનું પેકેજ હોવું જોઈએ નહીં. આજે આપણાં પરપ્રાંતિય કામદારો, ખેડૂતો જેવા નબળા વર્ગનના ખિસ્સામાં સીધા પૈસા મૂકવાની જરૂર છે.