કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર આરએસએસ પર હુમલો કર્યો છે.
RSS પર રાહુલ ગાંધીના પ્રહાર
RSSને સંઘ પરિવાર કહેવો યોગ્ય નહીં
પરિવારમાં મહિલા હોય, વડીલને સન્માન હોય
પરિવારમાં સ્નેહની ભાવના હોય
RSSમાં આમાંથી કંઈ જ નથી
રાહુલ ગાંધીએ ફરી એકવાર RSS પર કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પર હુમલાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે RSSને સંઘ પરિવાર માનવાથી જ ઇનકાર કરી દીધો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે સંઘમાં મહિલા અને વૃદ્ધોનું કોઈ સન્માન નથી થતું તેથી તેને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી.
RSS અને તેમના સંગઠનોને સંઘ પરિવાર કહેવો યોગ્ય નહીં
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે મારુ માનવું છે કે RSS અને તેની સાથે જોડાયેલા સંગઠનોને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી. પરિવારમાં તો મહિલાઓ હોય છે, વૃદ્ધો માટે સન્માન હોય છે. કરુણા અને સ્નેહની ભાવના પણ હોય છે જે RSSમાં નથી. હવેથી હું RSSને સંઘ પરિવાર નહીં કહું.
પાકિસ્તાની મદરસા સાથે આરએસએસને તુલના
નોંધનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ સંઘની તુલના પાકિસ્તાની કટ્ટર ઈસ્લામિક મદરસા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે RSSએ પોતાની શાળાઓ દ્વારા હુમલા શરૂ કરી દીધા છે. જેમ પાકિસ્તાનના કટ્ટરપંથી પોતાના મદરસાનો ઉપયોગ કરે છે તેમ સંઘ પોતાની શાળાઓમાં એક ખાસ પ્રકારની દુનિયા બતાવે છે. કોઈ પૂછતું નથી કે હજારો શાળાઑ ચલાવવા માટે સંઘ પાસે પૈસા ક્યાંથી આવે છે?
નીતિશ કુમારના બહાને આરએસએસ પર હુમલો
બિહાર વિધાનસભામાં થયેલા હંગામાંને પણ રાહુલ ગાંધીએ સંઘ સાથે જોડવાના પ્રયાસ કર્યા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી સંપૂર્ણપણે આરએસએસ અને ભાજપમય થઈ ગયા છે. લોકતંત્રનું ચીરહરણ કરનારાઓને સરકાર કહેવાનો અધિકાર નથી. વિપક્ષ અવાજ ઉઠાવતો રહશે અમે ડરતા નથી. તેમણે કહ્યું હતું કે તાનાશાહીની જીત છે, લોકતંત્રની હાર છે, આ તો નીતિશનું બિહાર છે.