દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો મચેલો છે. ત્યારે આ તમામની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ
રાહુલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને કરી આ અપીલ
દેશના યુવાનોને લઈને કહી આ વાત
દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો મચેલો છે. ત્યારે આ તમામની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને રવિવારે તેમનો જન્મદિવસ નહીં મનાવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને એક મેસેજ આપીને કહ્યું છે કે, દેશના યુવાનો મુશ્કેલીમાં છે અને રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, ત્યારે આવા સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓને તેમની સાથે ઉભા હોવા જોઈએ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે 52 વર્ષના થઈ ગયા છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના મહાસચિવ જયરામ રમેશ દ્વારા ટ્વિટ કરીને પોસ્ટ કરવામાં આવેલા એક મેસેજમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, દેશમાં હાલની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. યુવાનો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જન્મદિવસ સેલિબ્રેટ નહીં કરવાની અપીલ
રાહુલ ગાંધીએ સશસ્ત્ર સેનાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશના કેટલાય ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન તરફ ઈશારો કરતા કહ્યું કે, દેશના યુવાનો પરેશાન છે. આપણે આ સમયે તેમની સાથે ઉભા રહીને તેમને સાથ આપવાની જરૂર છે. તેમણે કહ્યુ કે, હું દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓને તથા શુભચિંતકોને અપીલ કરવા માગુ છું કે, મારા જન્મદિવસના અવસર કોઈ પણ પ્રકારનો જશ્ન મનાવશો નહીં.
કોંગ્રેસના સત્યાગ્રહમાં સામેલ થઈ શકે છે રાહુલ ગાંધી
પોતાના જન્મદિવસના અવસરે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ કોંગ્રેસ આજે દિલ્હીના જંતર મંતર પર સત્યાગ્રહ કરવા જઈ રહી છે. તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ સામેલ થઈ શકે છે. કોંગ્રેસ સાંસદ અને નેતા સશસ્ત્ર દળોમા ભરતી માટે રજૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે એકજૂથ થઈને પ્રદર્શન કરવા માટે જંતર મંતર પર સત્યાગ્રહ કરશે.