કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખેડૂતો પર કરેલી ટિપ્પણીને લઈને ઘેર્યા હતા.રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના આંદોલનજીવી નિવેદન પર પલટવાર કરતા કર્યું કે ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે.
ભારતને અસ્થિર, અશાંત કરવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે- પીએમ
તેઓ ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે- રાહુલ ગાંધી
દેશમાં એક નવો આંદોલનજીવી સમુદાય પૈદા થઈ ગયો છે
તેઓ ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે- રાહુલ ગાંધી
પીએમ મોદીના રાજ્યસભામાં સોમવારે આપેલા નિવેદન પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી.‘ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે તેઓ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં એક નવો સમુદાય ‘આંદોલનજીવી’ પેદા થયો છે. જે દરેક વિરોધ પ્રદર્શનમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દ ક્રોની ( Crony)નો મતબલ છે -ધનિષ્ઠ મિત્ર.
પીએમ મોદીએ સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવબ આપતા વિપક્ષ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઈને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં એક નવો આંદોલનજીવી સમુદાય પૈદા થઈ ગયો છે. જે દરેક પ્રદર્શનમાં જોવા મળે છે.
આ આંદોલનજીવી છે
પીએમએ કહ્યું આપણે કેટલાક શબ્દો શ્રમજીવી અને બુદ્ધિજીવીથી પરિચિત છીએ પરંતુ હું જોઈ રહ્યો છું કે ગત કેટલાક સમયથી દેશમાં એક નવી જમાત પૈદા થઈ છે. આંદોલનજીવી. વકીલોનું આંદોલન હોય, વિદ્યાર્થીઓનું આંદોલન હોય અથવા મજૂરોનું આંદોલન હોય આ લોકો દરેકમાં નજરે પડે છે. આ એક ટોળકી છે. જે આંદોલન વગર જીવી નથી શકતી અને આંદોલનથી જીવવા માટે રસ્તા શોધતી રહેતી હોય છે. આપણે એવા લોકોની ઓળખ કરવી પડશે અને તેમનાથી રાષ્ટ્રની રક્ષા કરવી પડશે. આ આંદોલનજીવી છે.
ભારતને અસ્થિર, અશાંત કરવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે- પીએમ
પીએમએ કહ્યું કે કેટલાક લોકો ખાસ કરીને પંજાબમાં શીખ ભાઈઓના દિમાગને ખોટી વસ્તુઓથી ભરવામાં લાગ્યા છે. તેમણે કહ્યું કે ભારતને અસ્થિર, અશાંત કરવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. આપણે આ લોકોને ઓળખવા પડશે.