રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી બનીશ તો હું નોકરીયોનું સર્જન પર ભાર મુકીશ.
9 ટકા આર્થિક વિકાસમાં કોઈ રસ નથી
સંસ્થાઓ અમારી રક્ષા નથી કરી શકતી
હું ફક્ત વિકાસ કેન્દ્રીત વિચારથી નોકરી કેન્દ્રિત વિચાર તરફ વધીશ
ભાજપના એક ધારાસભ્યની કારમાં ઈવીએમ મળ્યાનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં સંસ્થાગત ઢાંચા પર સત્તાપક્ષ તરફથી પૂરી રીતે કબ્જો કરી લેવાનો આરોપ લગાવતા શુક્રવારે કહ્યું કે નિષ્પક્ષ રાજનીતિક મુકાબલો સુનિશ્ચિત કરવા જવાબદાર સંસ્થાઓ અપેક્ષિત સહયોગ નથી આપી રહી. તેમણે અમેરિકાના જાણીતી શિક્ષણ સંસ્થાન ‘હાર્વડ કેનેડી સ્કૂલ’ના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદમાં આસામ વિધાન સભા ચૂંટણી દરમિયાન ભાજપના એક ધારાસભ્યની કારમાં ઈવીએમ મળ્યાનો ઉલ્લેખ કર્યો છે.
હું ફક્ત વિકાસ કેન્દ્રીત વિચારથી નોકરી કેન્દ્રિત વિચાર તરફ વધીશ
આ કાર્યક્રમની મેજબાની અમેરિકાના પૂર્વ રાજનીતિક નિકોલસ બર્ન્સે કરી હતી. તેમને પુછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી બનવાની તક મળવા પર તેમની આર્થિક નીતિ શું રહેશે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે કહ્યું કે નોકરીયોનું સર્જન પર ભાર મુકીશ. તેમણે કહ્યું કે હું ફક્ત વિકાસ કેન્દ્રીત વિચારથી નોકરી કેન્દ્રિત વિચાર તરફ વધીશ. આપણને ગ્રોથની જરુર છે. પરંતુ પ્રોડક્શન, જોબ ક્રિએશન અને વેલ્યૂ એડિશનને આગળ વધારવા માટે બધું જ કરીશું.
9 ટકા આર્થિક વિકાસમાં કોઈ રસ નથી
રાહુલે કહ્યું કે જો નોકરીયો નથી તો 9 ટકા આર્થિક વિકાસમાં કોઈ રસ નથી. વાયનાડ સાંસદે કહ્યું કે હાલની સ્થિતિમાં જો અમારી વૃદ્ધિ જોવો તો અમારો વિકાસ, નોકરી, વેલ્યૂ એડિશન અને પ્રોડક્શનમાં જે સંબંધ હોવો જોઈએ તે નથી. ચીની લોકો વેલ્યૂ એડિશન પર ધ્યાન આપે છે. હું ક્યારેય કોઈ ચીની નેતાને નથી મળ્યો જેણે કહ્યું હોય કે તેમને નોકરીના નિર્માણમાં કોઈ સમસ્યા આવી હોય.
કેન્દ્ર સરકારની સમજમાં આવ્યું ત્યાં સુધી નુકસાન થઈ ચૂક્યુ હતુ
અર્થવ્યવસ્થાને ગતિ આપવાના ઉપાય સાથે જોડાયેલા સવાલ પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો ફક્ત એક જ વિકલ્પ છે કે લોકોના હાથમાં પૈસા આપવામાં આવે. એ માટે અમારી પાસે ન્યાયનો વિચાર છે. કોરોના સંકટ અને લોકડાઉનની અસર પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે મે લોકડાઉનની શરુઆતમાં કહ્યુ હતું કતે શક્તિ વિકેન્દ્રીકરણ કરવામાં આવે. પરંતુ કેટલાક મહિના બાદ કેન્દ્ર સરકારની સમજમાં આવ્યું ત્યાં સુધી નુકસાન થઈ ચૂક્યુ હતુ.
સંસ્થાઓ અમારી રક્ષા નથી કરી શકતી
કોંગ્રેસની ચૂંટણી અસફળતા અને આગળની રણનીતિ વિશે પુછવા પર રાહુલે કહ્યું કે અમે આજે એવી સ્થિતિમાં છીએ કે તે સંસ્થાઓ અમારી રક્ષા નથી કરી શકતી. જેમણે અમારી રક્ષા કરવાની હોય. જે સંસ્થાઓને નિષ્પક્ષ રાજનીતિક સરખામણી માટે સહકાર આપવાનો છે તે હવે આવું નથી કરી રહી. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ તરફથી સંસ્થાગત ઢાંચા પર સંપૂર્ણ રીતે કબ્જો કરી લીધો છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે સત્તા પક્ષના લોકો મોહભંગ થઈ રહ્યો છે. આ કોંગ્રેસ માટે એક અવસર પણ છે. તેમણે ચીનના વધતા વર્ચસ્વના પડકાર અંગે પુછાતા જણાવ્યું કે ભારત અને અમેરિકા જેવા દેશો લોકતાંત્રિક મૂલ્યોની સાથે સમૃદ્ધિ અને વિનિર્માણ ક્ષેત્રે વિકાસથી બેજિંગના પડકાર સામે પહોંચી વળી શકે છે.