કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકારને કહ્યું છે કે ત્રણ કાયદા પાછા લેવા જ પડશે. ખેડૂતોને લઈને કહ્યું મહિનાઓની રાહ પર ખરાબ વાતાવરણથી તે નથીં ડરતા.
ખેડૂત બીજ વાવીન જે ધૈર્યથી ફળની રાહ જોવે છે
ખેડૂત મહિનાઓની રાહ પર ખરાબ વાતાવરણથી તે નથીં ડરતા
ખેડૂત પીએમને 101 માટી ભરેલા કળશ ભેંટ કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર એક વાર ફરી કેન્દ્ર સરકારને ચેતવણી ભર્યા શબ્દોમાં કહ્યું છે કે ત્રણ કાયદા પાછા લેવા જ પડશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે બીજ વાવીન જે ધૈર્યથી ફળની રાહ જોવે છે. મહિનાઓની રાહ પર ખરાબ વાતાવરણથી તે નથીં ડરતા.
बीज बोकर जो धैर्य से फ़सल का इंतज़ार करते हैं,
महीनों की प्रतीक्षा व ख़राब मौसम से वे नहीं डरते हैं!
બીજી તરફ ખેડૂત કોંગ્રેસ 7 માર્ચથી દેશભરમાં એક્ઠી કરેલી માટીથી ભરેલા 101 કળસ પીએમ નરેન્દ્ર મોદીને સોંપશે. ખેડૂત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે પીએમને માટીના કળશભેટ કરવાનો હેતુ તેમને આ માટીથી લેવામાં આવેલા સોગંદ યાદ અપવવાનું છે. અમે અન્નદાતાઓ પોતાના હકની લડાઈમાં પૂરી રીતે ઉભા છે. ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર તમને ઉદ્યોગપતિ મિત્રોના દબાણમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સાંભળી ન સાંભળી કરી રહી છે.
કેએમપી એક્સપ્રેસ વે પર 5 કલાક નાકાબંધી
દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના આજે 100 દિવસ પૂરા થયા છે. આ આંદોલનના 100 દિવસ પૂરા થવાના અવસરે શનિવારે કેએમપી એક્સપ્રેસ વે પર 5 કલાક નાકાબંધીની સાથે કાળા દિવસના રૂપમાં ચિહ્નિત કરાશે. આ સિવાય ડાસના, દુહાઈ, બાગપત, દાદરી, ગ્રેટર નોઈડા પર પણ જામ કરાશે. અહીં ખેડૂતો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. ટોલપ્લાઝા પણ ફ્રી કરાશે.
ખેડૂતોનું હવે મિશન પ. બંગાળ
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોનને 100 દિવસ પુરા થઈ ગયા છે. તેઓ કૃષિ કાયદાના વિરોધ કરતા 100 દિવસથી દિલ્હી બોર્ડર પર બેઠા છે. ત્યારે હવે ખેડૂતના આ પગલાથી સરકારની ચિંતા વધી શકે છે . ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને ત્યાંની ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે. જો કે ખેડૂતો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ રાજકીય પ્રવાસ નથી તેઓ તો માત્ર ત્યાં ખેડૂતોને જાગૃત કરવા જઈ રહ્યા છે, પણ ટૂંક સમયમાં ત્યાં ચૂંટણી છે એટલે આ પ્રવાસના રાજકીય સમીકરણો પર પ્રભાવ પડે તો નવાઈ નહીં.