દિબ્રુગઢમાં કોલેજના યુવાનો સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો સીએએ કાયદો લાગુ નહીં પાડે.
રાહુલ આસામના ચૂંટણી પ્રચારે,
દિબ્રુગઢમાં વિદ્યાર્થીઓ સાથે સાધ્યું આદાનપ્રદાન
રાજ્યમાં સીએએ ન લાગુ પાડવાની આપી ખાતરી
આસામ ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દિબ્રુગઢમાં વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન સાધીને તેમના વિચારો જાણવા માગ્યા હતા.
આયોજન વગરના લોકડાઉનનું ભૂત ફરી ધુણી રહ્યું છે.
રાહુલે કહ્યું કે લોકશાહીમાં ઘટાડો આવી રહ્યો છે, યુવાનો બેરોજગાર છે. ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જો અમે કેન્દ્રની સત્તામાં હોત તો આસામના લોકો, તેમની સંસ્કૃતિ, ભાષા ન ભૂલેત. નાગપુરમાં પેદા થયેલી એક શક્તિ આખા દેશ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.રાહુલે કહ્યું કે સરકારની અક્ષમતા અને ટૂંકી દ્રષ્ટિને કારણે લાખો પરિવારને સહન કરવાનો વારો આવ્યો છે. આયોજન વગરના લોકડાઉનનું ભૂત ફરી ધુણી રહ્યું છે.
ભાજપ લોકોને વિભાજીત કરવા નફરત ફેલાવે છે
રાહુલે કહ્યું કે લોકશાહીનો અર્થ- આસામનો અવાજ આસામ પર રાજ કરે તેવો થાય છે. જો અમે વિદ્યાર્થીઓને સામેલ ન કરીએ તો કોઈ લોકશાહી ન હોઈ શકે. યુવાનોએ સક્રિય રીતે રાજનીતિમાં આવવું જોઈએ અને આસામ વતી લડવું જોઈએ. તમારે પથ્થરો, લાઠીઓથી નહીં પરંતુ પ્યારથી લડવું પડશે. ભાજપ લોકોને વિભાજીત કરવા નફરત ફેલાવે છે.
ભારતમાં કોરોનાને કારણે સૌથી વધારે બાળ અને માતા મૃત્યુ દર જોવા મળી રહ્યો છે
UNICEF સ્ટડીના રિપોર્ટને ટાંકતા રાહુલે કહ્યું કે એશિયાના ગીચ વસતી ધરાવતા 6 દેશોમાંથી ભારતમાં કોરોનાને કારણે સૌથી વધારે બાળ અને માતા મૃત્યુ દર જોવા મળી રહ્યો છે. જે એરપોર્ટના મામલે થઈ રહ્યું છે તે ચાના બગીચામાં પણ થઈ રહ્યું છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે આસામને સુરક્ષા પૂરી પાડી હતી. હજારો કરોડો રુપિયાના સ્પેશિયલ પેકેજ, ઈન્વેસ્ટમેન્ટ્ પોલિસી જેમાં કોઈ પણ રોકાણ કરવા માગતા હોય તો તેમને સબસિડી પણ આપતા હતા. તેને હવે રદ કરી દેવાઈ છે.