નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કઠુઆ અને ઉન્નાવ મામલે આપેલાં PM મોદીના નિવેદનનો આભાર માન્યો. આભાર માનતા કટાક્ષ કર્યો કે ભારતની દીકરીઓને ન્યાય ક્યારે મળશે એ દેશ જાણવા માગે છે. આ અંગે રાહુલે ટ્વીટ કરી કહ્યું છે કે `પ્રિય પ્રધાનમંત્રી જી. તમે લાંબી ચુપકીદી તોડી એ બદલ આભાર.
તમે કહ્યું હતુ કે આપણી દીકરીઓને ન્યાય મળશે. તો ભારત જાણવા માગે છે કે ક્યારે.....' પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના એક સમારોહમાં નિવેદન આપતા કહ્યું હતું કે હું દેશને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે કઠુઆ અને ઉન્નાવની ઘટના સામાન્ય નથી. આ ઘટનાએ દેશને કલંકિત કર્યો છે.
દીકરીઓને ન્યાય ક્યારે?
પ્રિય પ્રધાનમંત્રી જી. તમે લાંબી ચુપકીદી તોડી એ બદલ આભાર. તમે કહ્યું હતુ કે આપણી દીકરીઓને ન્યાય મળશે. તો ભારત જાણવા માગે છે કે ક્યારે?
- રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ