રાહુલ ગાંધીએ ઓડિશામાં જનસભાને સંબોધન કરતા સીએમ નવીન પટનાયક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને બંને નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે આદિવાસીઓની જમીન છીનવી લીધી છે અને તેમની પાર્ટી આદીજાતિ સમુદાયના લોકોના અધિકાર માટે કામ કરશે તેવું નિવેદન કર્યૃં હતું.
આ સંબોધન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો જોમમાં આવી ગયા હતા અને તેમને મુખ્યમંત્રી મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કર્યુ હતું. ત્યારે રાહુલ ગાંધીએ કાર્યકરોને અટકાવ્યા હતા અને કહ્યું હતુ કે મુર્દાબાદ શબ્દનો ઉપયોગ RSS અને ભાજપના લોકો કહે છે આપણે લોકોને પ્રેમથી બોલાવવાવાળા લોકો છીએ.
રાહુલ ગાંધીએ 2019ને લઈને લોકોને સંબોધ્યા હતા અને તેમને પોતાની સરકાર આવશે તો ખેડૂત અને આદિવાસીઓ માટે કામ કરવાની ખાતરી આપી હતી. તમને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાહુલ ગાધી ગુજરાતમાં પણ 14 ફેબ્રુઆરીથી પ્રચારના શ્રીગણેશ કરશે.