દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજરોજ વિશાખાપટ્ટનમમાં કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઇને નવી દિલ્લીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધનનો ઇનકાર કરી દીધો છે. એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતાં દિલ્લીના મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલમાં જ મારી રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.
દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે તેમનો સંપર્ક ન કરવા પર કેજરીવાલે જણાવ્યું કે અમે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. શિલા દિક્ષીત એટલી મહત્વપૂર્ણ નેતા નથી. અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા સતત કોંગ્રેસને ગઠબંધન કરવાની અપીલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે દિલ્લીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે ગઠબંધનને લઇને પૂછવામાં આવેલા સવાલ પર જણાવ્યું હતું કે આજે સાંજે અથવા કાલ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. શીલા દીક્ષિતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગઠબંધન પર સોમવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસે દરેક સાત બેઠકોની સંભવિત ઉમેદવારોની પેનલ પણ તૈયાર કરી લીધી છે. લોકસભા બેઠક પર ત્રણતી ચાર નામોની પેનલ તૈયાર કરી દીધી છે.
આમ લોકસભા ચૂંટણી પહેલા રાજધાની દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને જે સસ્પેન્સ હતુ તેનો અંત આવ્યો છે. હવે દિલ્લીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન નહીં થાય. આ વાતની જાણકારી ખુદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાહુલ ગાંધીને હું મળ્યો હતો પણ રાહુલ ગાંધીએ ગઠબંધનથી ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા જ શીલા દિક્ષિત અને રાહુલ ગાંધીએ ગઠબંધનથી ઈનકાર કરીને સ્પષ્ટતા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અગાઉ જ ગઠબંધનથી ઈનકાર કરી ચૂકી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિલા દિક્ષિત પર પણ નિવેદન આપતા કહ્યું કે, તેમણે ગઠબંધનને લઈને રાહુલ ગાંધી સાથે વાત કરી છે. શીલા દિક્ષિત મહત્વપૂર્ણ નેતા છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી તરફથી સતત દિલ્લીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસ નકારતી રહી. ઉલ્લેખનીય છે કે પહેલા જ શીલા દિક્ષિત અને રાહુલ ગાંધીએ ગઠબંધનથી ઈનકાર કરીને સ્પષ્ટતા કરી હતી.