કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓ એક સાથે જંતર મંતર પહોચ્યા હતા.
એવોર્ડેના નામ બદલવા મુદ્દે રાહુલ ગાંધી મૌન રહ્યા
રાહુલ ગાંધી પહોંચ્યા હતા જંતર મંતર
વિપક્ષ નેતાઓ પહોચ્યા જંતર મંતર
એવોર્ડેના નામ બદલવા મુદ્દે રાહુલ ગાંધી મૌન રહ્યા
કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવામાં આવ્યું. બીજી બાજુ રાહુલ ગાંધી આજે જંતર મંતર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનના ખેડૂતોને મળવા ગયા હતા. ત્યાં રાહુલ ગાંધીને આ એવોર્ડના નામ બદલવા પર સવાલ પૂછવામાં આવ્યો હતો પણ આ મુદ્દે તેમણે ચુપકી સેવી લીધી અને કઈં પણ પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. આ વિડીયો હાલ ઘણો જ વાયરલ થયો હતો.
કેન્દ્ર સરકારે ખેલ રત્ન એવોર્ડનું નામ બદલ્યું છે. હવે તે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.
રાહુલ ગાંધી પહોંચ્યા હતા જંતર મંતર
કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓ એક સાથે જંતર મંતર પહોચ્યા હતા. બપોરે 12.30 વાગ્યે સંસદના વિપક્ષી નેતાઓ બસ કરીને જંતર મંતર ખાતે રવાના થયા થયા હતા. ખેડૂતો દરરોજ સવારના 11 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી જંતર મંતર ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
વિપક્ષ નેતાઓ પહોચ્યા જંતર મંતર
રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ નેતા ખેડૂતોના સમર્થનમાં જંતર મંતર પહોચ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે ભારતના દરેક ખેડૂતોને વિપક્ષ સમર્થન આપે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સરકારે ત્રણેય કાળા કૃષિ કાયદાઓને રદ કરવા પડશે. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે હવે ચર્ચાથી કોઈ કામ નથી થવાનું. કોંગ્રેસ નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે સંસદમાં શું ચાલી રહ્યું છે તે આપ સૌ જાણો છો. તેમણે કહ્યું કે અમે પેગાસસ મામલે સંસદમાં ચર્ચા કરવા માગીએ છે પરંતુ તે ચર્ચા થઈ નથી શકતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આક્ષેપ કરતા કહ્યું કે PM મોદીએ દરેકના ફોનમાં પેગાસસ નાખી દીધું છે.