કર્ણાટકમાં બુરખાને લઈને વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુરખાને લઈને આડકતરી રીતે કર્ણાટક સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કર્ણાટક સરકાર પર કર્યા આકરાં પ્રહાર
કોલેજ લગાવેલા બુરખા પરના પ્રતિબંધોની કરી ટિકા
દેશની દિકરીઓના ભવિષ્ય સાથે રમત કરવાનો લગાવ્યો આરોપ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુરખાને લઈને આડકતરી રીતે કર્ણાટક સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બુરખાના ચક્કરમાં દેશની દિકરીઓના ભવિષ્ય સાથે રમત કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, માં સરસ્વતી તમામ જ્ઞાન આપે છે, નહીં કે, ભેદભાવ કરે છે. આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં બુરખાને લઈને વિવાદ વધી રહ્યો છે. અમુક કોલેજોમાં બુરખો બૈન કર્યા બાદ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, વિદ્યાર્થિનીઓના બુરખાને તેમના શિક્ષણ સાથે જોડીને આપણે ભારતની દિકરીઓના ભવિષ્યને ખરાબ કરી રહ્યા છીએ. માં સરસ્વતી તમામને જ્ઞાન આપે છે, તે ભેદભાવ નથી કરતી.
શું છે બુરખાનો આખો વિવાદ
આપને જણાવી દઈએ કે, ગત મહિને કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં એક કોલેજમાં બુરખો પહેરવાને લઈને 6 વિદ્યાર્થિનીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો હતો. જે બાદ રાજ્યની બીજી કોલેજોમાં પણ આ વિવાદ ફેલાયો હતો. ઉડ્ડપીમાં કોલેજના પ્રિન્સિપાલે ખુદ બુરખો પહેરનારી છોકરીઓને કેમ્પસમાં પ્રવેશ કરતા રોકી દીધી હતી. જે બાદ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ઉડ્ડુપીના ધારાસભ્ય અને કોલેજ વિકાસ સમિતિના અધ્યક્ષ કે. રઘુપતિ ભટ્ટે બુરખો પહેરવાના અધિકાર માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થિનીઓ સાથે બેઠક બાદ સ્પષ્ટ કહ્યું કે, શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર વિદ્યાર્થિનીઓને બુરખો પહેરીને ક્લાસમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.
હાઈકોર્ટમાં પડકાર
જો કે, આ મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉડ્ડપી જિલ્લામાં આવેલી એક સરકારી મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને ક્લાસની અંદર બુરખો પહેરવાનો અધિકાર આપવાનો અનુરોધ કર્યો છે. વિદ્યાર્થિની રેશમ ફારુકે આ અરજી દાખલ કરી છે. અરજીકર્તાએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓનો બુરખો પહેરવાનો અધિકાર સંવિધાનના અનુચ્છેદ 14 અને 25 અંતર્ગત આપવામાં આવેલો મૌલિક અધિકાર છે. તથા ઈસ્લામમાં તે એક જરૂરી પ્રથા છે.
શું છે વિદ્યાર્થિનીઓની દલીલ
અરજીકર્તાએ અનુરોધ કર્યો છે તે અને તેની અન્ય વિદ્યાર્થિનીઓને કોલેજ પ્રશાસનેના હસ્તક્ષેપ વગર બુરખો પહેરીને ક્લાસમાં બેસવાની પરવાનગી આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજ ઈસ્લામ ધર્મનું પાલન કરનારી આઠ વિદ્યાર્થિનીઓને પ્રવેશ કરવા દીધો નથી. તેમાં કહેવાયું છે કે, આ વિદ્યાર્થિનીઓએ બુરખો પહેર્યો હતો. એટલા માટે તેમને શિક્ષણના મૌલિક અધિકારથી વંચિત કરી દેવામાં આવી છે.