કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામામાં મુલાકાત વેળાએ માટીને ચુંબન કરીને નમન કરી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારત જોડો યાત્રાને પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોચ્યા પુલવામા
શહીદોને શ્રદ્ધાંજલી આપી
'અમે એ માટીને સલામ કરીએ છીએ જેમાં બહાદુર શહીદોનું લોહી છે
ભારત જોડો યાત્રાને પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ દેશના અનેક વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમીયાન તેઓ હાલમાં જમ્મુ કાશ્મીર ખાતે પહોંચ્યા હતાં. ત્યારે રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પહોંચ્યા હતા. જ્યાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલા તેમજ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનું આ પગલું મહત્વનું ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ભારતીય સૈનિકો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા. તમામ જવાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના હતા. આ તમામને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને 14 ફેબ્રુઆરી 2019ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.
"शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले
वतन पर मरने वालों का यही बाकी निशां होगा।"
કોંગ્રેસ પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ફોટો સાથે એક ટ્વીટ કરવામાં આવ્યું હતુ. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસે લખ્યું છે કે, 'અમે એ માટીને સલામ કરીએ છીએ જેમાં પુલવામા હુમલાના બહાદુર શહીદોનું લોહી છે. આજે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસના ક્યાં નેતાએ સવાલ ઉઠાવ્યા હતા સર્જીકલ સ્ટ્રાઈક અંગે જાણો…
જમ્મુ કાશ્મીરમાં સોમવારે ભારત જોડો યાત્રા દરમિયાન એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ જાહેર સભાને સંબોધિત કરતા સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, દિગ્વિજયે કહ્યું હતું કે, પુલવામામાં આપણા 40 CRPF જવાનો શહીદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ વડાપ્રધાનને સૈનિકોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ પીએમ મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? આજ સુધી પુલવામા પર સંસદમાં કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી.