રાહુલ ગાંધી આજે વિપક્ષ નેતાઓ સાથે મળીને જંતરમંતર પહોચ્યા હતા . જ્યા તેમણે ખેડૂતોને સમર્થન આપતા કહ્યું કે સરકારે કાળા કૃષિ કાયદાઓ રદ તો કરવાજ પડશે.
વિપક્ષ નેતાઓ સાથે રાહુલ ગાંધી જંતર મંતર પહોચ્યા
વિપક્ષે ખેડ઼ૂતોને આપ્યું સમર્થન
કાળા કૃષિ કાયદા રદ તો કરવાજ પડશે : રાહુલ ગાંધી
Today all opposition parties have gathered here (Jantar Mantar) to extend their support against 'Kala Kanoon' (farm laws)... We want a discussion over Pegasus, but they (Centre) are not letting it happen. Narendra Modi has intercepted every Indian's phone: Rahul Gandhi, Congress pic.twitter.com/9kxrShhKIS
કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓ એક સાથે જંતર મંતર પહોચ્યા હતા. બપોરે 12.30 વાગ્યે સંસદના વિપક્ષી નેતાઓ બસ કરીને જંતર મંતર ખાતે રવાના થયા થયા હતા. ખેડૂતો દરરોજ સવારના 11 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી જંતર મંતર ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
વિપક્ષ નેતાઓ પહોચ્યા જંતર મંતર
રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ નેતા ખેડૂતોના સમર્થનમાં જંતર મંતર પહોચ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે ભારતના દરેક ખેડૂતોને વિપક્ષ સમર્થન આપે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સરકારે ત્રણેય કાળા કૃષિ કાયદાઓને રદ કરવા પડશે. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે હવે ચર્ચાથી કોઈ કામ નથી થવાનું.
Opposition leaders join farmers at Jantar Mantar, Delhi in their protest against farm laws.
TMC, BSP and AAP are not participating in the Opposition's protest against farm laws. pic.twitter.com/zpx0UgazCW
કોંગ્રેસ નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે સંસદમાં શું ચાલી રહ્યું છે તે આપ સૌ જાણો છો. તેમણે કહ્યું કે અમે પેગાસસ મામલે સંસદમાં ચર્ચા કરવા માગીએ છે પરંતુ તે ચર્ચા થઈ નથી શકતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આક્ષેપ કરતા કહ્યું કે PM મોદીએ દરેકના ફોનમાં પેગાસસ નાખી દીધું છે.
બધાજ વિપક્ષ નેતા જંતર મંતર ખાતે
વિપક્ષના આ પ્રદર્શનમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, માયાવતીની બીએસપી અને કેજરીવાલની આમ આદમી પાર્ટી શામેલ નહોતી થઈ. રાહુલ ગાંધી,. મલ્લિકાર્જુન ખડગે, સંજય રાઉત, મનોજ ઝા અને ડીએમકે ના શિવા સહિત અન્ય નેતાઓ શામેલ થયા હતા.
ખેડૂતો મુદ્દે વિપક્ષ નેતાઓ સાથે બેઠક
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષ નેતાઓ સાથે ખેડૂતો મુદ્દે બેઠક કરી હતી. કોંગ્રેસે કહ્યું કે દેશના લોકતંત્રને બચાવા માટે વિપક્ષે એક થવું જરૂરી છે. તેમણે વિપક્ષના નેતાઓ સાથે ખેડૂત આંદોલન, બેરોજગારી જેવા મુદ્દાઓ ચર્ચા કરી હતી.