કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (10 જુલાઇ) ને કહ્યું છે કે અમેઠી તેમનું ઘર-પરિવાર છે અને એમણે તેને ક્યારેય નહીં છોડે. અમેઠી લોકસભા બેઠકથી હાલમાં જ મળેલા પરાજય બાદ પહેલી વાર અહીં પહોંચેલા રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠકમાં કહ્યું કે અમેઠી તેમનું ઘર છે અને તે એને ક્યારેય નહીં છોડે.
બેઠકમાં સામેલ યુવક કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નદીમ અશરફ જાયસી મુજબ રાહુલે કહ્યું કે, 'અમેઠી મેરા ઘર-પરિવાર છે. હું અમેઠી નહીં છોડૂં. હું અને (કોંગ્રેસ મહાસચિવ) પ્રિયંકા ગાંધી અહીં આવતા રહીશું.' બકોલ જાયસી, રાહુલે કહ્યું કે, 'અમેઠીના વિકાસ રોકવા દેવામાં નહીં આવે. હું વાયનાડથી સાંસદ છું પરંતુ અમેઠી સાથે અમારો ત્રણ પેઢીઓનો સંબંધ છે. હું અમેઠીની લડાઇ દિલ્હીમાં લડતો રહીશ'.
ધ્યાનથી સાંભળી કાર્યકર્તાઓની વાત
બેઠકમાં સામેલ રહેલા પ્રદેશ કોગ્રેસ કમિટીના સભ્ય ડોક્ટર નરેન્દ્ર મિશ્ર મુજબ, રાહુલે બેઠકમાં કહ્યું કે, ''લોકસભામાં ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કામ કર્યું પરંતુ સ્થાનીય નેતા જનતાથી દૂર રહ્યા હતા. એ કારણે હાર થઇ હતી. જોકે ચૂંટણીમાં હાર-જીત મળતી રહે છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી. આપ લોકો જનતા સાથે જોડાવો, બધુ જ ઠીક થઇ જશે''.
અમેઠીના લોકોએ ખવડાવી જલેબી
રાહુલના અમેઠી મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી જ્યારે એક જગ્યાએ રોકાયા ત્યારે કેટલાક સમર્થકોએ તેમની પાસે આવ્યા હતા. આ દરમિયાન એક યુવાન દુકાનદાર તેમની પાસે આવ્યા અને તેમને પોતાના હાથે જલેબી ખવડાવી હતી. એ બાદ સમર્થકોએ તેમની પાસે જઇને ફોટો પણ ખેંચાવી હતી.