આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મૂ-કાશ્મીરમાં ધરપકડ કરાયેલા દેવેન્દ્ર સિંહને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ટવિટ કરી આ મામલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દેવેન્દ્ર સિંહને ચુપ કરાવવા માટે સૌથી સારો આ રસ્તો છે કે તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપી દેવામાં આવે.
દેવેન્દ્ર સિંહ મામલે રાહુલ ગાંધીનું હલ્લાબોલ
ટવિટ કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન
દેવેન્દ્ર સિંહને ચુપ કરાવા માગતી હતી સરકાર
રાહુલ ગાંધીએ છેલ્લા બે દિવસથી દેવેન્દ્ર સિંહ મામલે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. શુક્રવારે કરવામાં આવેલા ટવિટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે NIA ના નેતૃત્વ પણ એક બીજા મોદી કરી રહ્યાં છે. વાય કે મોદી જેણે ગુજરાત રમખાણ અને હરેના પંડયા મામલાની તપાસ કરી હતી. વાય કે ના નેતૃત્વમાં આ કેસ તેવી જ રીતે દબાવી દેવામાં આવી રહ્યો છે.
The best way to silence Terrorist DSP Davinder, is to hand the case to the NIA.
The NIA is headed by another Modi - YK, who investigated the Gujarat Riots & Haren Pandya’s assassination. In YK’s care, the case is as good as dead. #WhoWantsTerroristDavinderSilenced
રાહુલ ગાંધીએ આ જ લઇને લખ્યું છે કે આતંકી દેવેન્દ્રને ચુપ કોણ કરાવા માગે છે અને કેમ ?
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ડીએસપી દેવેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે બે આતંકીની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ નવી દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં હતા.