કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોઇને કોઇ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર પર પ્રહાર કરતા રહે છે. ત્યારે આજે તેમણે PMCaresને લઈને સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ ફરી કર્યા મોદી સરકાર સામે સવાલ
ટ્વીટ કરીને કહ્યું- રસીકરણ ઉત્સવ માત્ર ઢોંગ છે
હોસ્પિટલમાં બેડ નથી તો વેન્ટિલેટર પણ નથી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરકાર રસીકરણ ઉત્સવના નામે માત્ર ઢોંગ રચી રહી છે. તો એવો આરોપ પણ લગાવ્યો હતો કે, બેડ ટેસ્ટિંગ, હોસ્પિટલો પણ છે.
ઉત્સવના નામે ઢોંગ કરી રહી છે સરકાર
કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, નથી ટેસ્ટ થતાં, નથી હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર પણ નથી અને ઓક્સિજન પણ નથી, બસ ઉત્સવના નામે ઢોંગ ચાલી રહ્યો છે.
PMCares એક અંગત કોશ હોવાની યેચૂરીએ કરી હતી વાત
આ પહેલા કોરોના મહામારીને પહોંચી વળવા માટે રીત-ભાતને લઈને કેન્દ્ર સરકારની આલોચના કરતા માકપા મહાસચિવ સીતારામ યેચૂરીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોની દશા માટે જવાબદાર છે. તેઓ જવાબ આપવાથી છટકી ન શકે. દેશમાં કોવિડ-19ના વધતા મામલાને આલેખતા યેચૂરીએ દાવો કર્યો હતો કે, ભાજપ-શાસિત રાજ્યોમાં જ કોરોનાના કેસની સ્થિતિ વણસેલી છે.
ભારતમાં ગુરૂવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 89.51 થયો છે.
જાણો શું કહે છે આંકડા
દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. ઉપચારાધીન લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે. તો સવાલ એ છે કે શું લોકડાઉન જ એક વિકલ્પ બચ્યો છે.
મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે. કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી. મુંબઈમાં પણ આજે 9931 નવા કેસ આવ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને 12147 સુધી પહોંચ્યો છે. અહીં રિકવરી રેટ 81.21નો જોવા મળી રહ્યો છે તો મૃત્યુ દર 1.64 ટકા જોવા મળ્યો છે.