જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં હિજબુલ આતંકીઓની સાથે ધરપકડ કરવામાં આવેલા ડીએસપી દવિન્દર સિંહને લઇને કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કથિત 'મૌન' પર સવાલ ઉઠાવ્યા છે.
ડીએસપી દવિન્દર સિંહને લઇને કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે
કોંગ્રેસે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજીત ડોભાલના કથિત 'મૌન' પર સવાલ ઉઠાવ્યા
રાહુલ ગાંધીએ કહ્યું કે દવિન્દર સિંહની વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ અને દોષિત ઠેરવા પર તેઓને કડક સજા આપવી જોઇએ. રાહુલ ગાંધીએ સવાલ પણ કર્યો કે દવિન્દર સિંહની પુલવામા હુમલામાં શું ભૂમિકા હતી અને તેઓને કોનું સરક્ષણ મળી રહ્યું હતું ?
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, 'ડીએસપી દવિન્દર સિંહે 3 એવા આતંકવાદીઓને પોતાના ઘરમાં રાખ્યા અને તેઓને દિલ્હી લઇ જતા પકડાઇ ગયા, જેમના હાથ ભારતીય નાગરિકોના લોહીથી રંગાયેલા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, તેઓની વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છ મહીનાની અંદર કેસ ચલાવવો જોઇએ અને જો તેઓ દોષિત ઠેરવાય છે તો ભારતની વિરુદ્ધ દેશદ્રોહ માટે કડકથી કડક સજા મળવી જોઇએ.
DSP Davinder Singh sheltered 3 terrorists with 🇮🇳 blood on their hands at his home & was caught ferrying them to Delhi.