નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિરાશા વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર બજેટને લઇને સાધ્યું નિશાન
ચીને આપણા સૈનિકોને માર્યા તેમ છતા રક્ષા બજેટ કેમ ન વધારવામાં આવ્યું
રાહુલ ગાંધીએ બજેટને લઇને નિરાશા વ્યક્ત કરી
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં ગઇકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને લઇને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ નિરાશા વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીએ બજેટને લઇને જણાવ્યું છે કે દેશની સરહદ પર તણાની સ્થિતિ છે, એવામાં રક્ષા બજેટ કેમ વધારવામાં આવ્યું નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ફોટો માટે તેમની સાથે દિવાળી મનાવે છે.
China occupied our territory & killed our soldiers.
PM spends Diwali with them for PR photo-ops.
Why hasn’t he increased the Defence Budget for them?
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે ચીન આપણા ક્ષેત્ર પર કબ્જો કરી રહ્યું છે. આપણા સૈનિકોને મારી રહ્યું છે. પીએમ મોદી તેમની સાથે દિવાળી મનાવે છે. તો પછી તેમના માટે રક્ષા બજેટ કેમ વધારવામાં આવ્યું નહી?
ઉલ્લેખનીય છે કે બજેટ આવતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ વખતે સરહદોની સુરક્ષા માટે રક્ષા ખર્ચમાં વધારો કરવાની આવશ્યકતા પર ફોક્સ કરવા અંગે જણાવ્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ બજેટમાં સરકારે ખેડૂતો, શ્રમિકો અને રોજગાર આપવાની જોગવાઇ કરવી જોઇએ. મધ્યમ સેકટરોના ઉદ્યોગોને મદદ આપવી જોઇએ, જેના કારણે નવી રોજગારીની તકો ઉભી થાય.
સરહદ પર ચીન અને પાકિસ્તાનના પડકાર અને સેનાના આધુનિકરણને ધ્યાનમાં લઇને વર્ષ 2021-22ના બજેટમાં મૂડી ખર્ચ માટે 1.35 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં સંપત્તિઓમાં વૃદ્ધિ કરનારા ખર્ચને મૂડી ખર્ચ માનવામાં આવે છે, જેમ કે પૂલ, રોડ, હોસ્પિટલ નિર્માણ. સેનાના સંદર્ભમાં આમાંથી હથિયારો, યુદ્ધક વિમાનો, ટેન્ક, લડાકૂ હેલિકોપ્ટરની ખરીદ પર કરવામાં આવતા ખર્ચને જોડી શકાય છે.