કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધમાં પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કથિત રીતે બર્બરતાના વિરોધમાં સોમવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પહોંચ્યા અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
રાહુલ-પ્રિયંકા પહોંચ્યા માનવાધિકાર આયોગ
કહ્યું- ઉત્તરપ્રદેશમાં પોલીસે CAA વિરોધી પ્રદર્શનકારીઓ પર અત્યાચાર કર્યા
પંચના સભ્યોને મળ્યા બાદ રાહુલે કહ્યું કે, ભારત એવો દેશ ન બની શકે જ્યાં ખુદ સરકાર જનતા પર અત્યાચાર કરે. અમે માનવાધિકાર પંચ સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. જો તેની તપાસ થશે તો ખબર પડશે કે ઉત્તરપ્રદેશમાં બહુ ખોટું થયું છે.
માનવાધિકાર આયોગથી પરત ફર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આયોગ માનવાધિકારીની રક્ષા કરનાર સક્ષમ સંસ્થાન છે. અમે જે પુરાવા રજૂ કર્યા છે જો તેની ઊંડાણપૂર્વક તપાસ કરે તો આ વાતથી સહેમત થઇ જશે કે ઉત્તરપ્રદેશમાં એવું કંઇક થયું છે જે ખુબ જ ખરાબ છે.
કોંગ્રેસે ઉત્તરપ્રદેશ પોલીસની સાથે કામ કરનારા પોલીસ મિત્રો પર પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ જબરદસ્ત બળપ્રયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. આ મામલે રાહુલે કહ્યું કે, દેશભરમાં આ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે. તે લોકો પર અત્યાચાર કરવા માટે પોલીસ મિત્રોની ભરતી કરી રહ્યા છે. જે કંઇ પણ થઇ રહ્યું છે તે દેશ અને બંધારણની મૂળ ભાવનાઓ વિરૂદ્ધ છે.
Rahul Gandhi: We can't become a country where the leadership brutalises its own people. You (NHRC) are the appropriate institution to safeguard Human Rights. If NHRC goes into details of what is submitted, you will be convinced that something terribly wrong has happened in UP. https://t.co/tSW2IZNRWn
કોંગ્રેસે એ પણ આરોપ લગાવ્યો છે કે ઉત્તરપ્રદેશમાં પોલીસ મિત્ર તરીકે સંઘ અને ભાજપના લોકોની ભરતી થઇ છે, જેમણે આ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ બળપ્રયોગ કર્યો. કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે હકીકતમાં આ મિત્ર પોલીસના મિત્ર અને જનતાના વિરોધી છે.