કોંગ્રેસ નેતાઓએ લખીમપુર ખીરી કાંડ પર રાષ્ટ્રપતિ સાથે વાત કરી. કોંગ્રેસ નેતાઓએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળનારાઓમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના આ સાત સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સામેલ હતા.
A delegation of Indian National Congress leaders comprising Mallikarjun Kharge, AK Antony, Ghulam Nabi Azad, Rahul Gandhi and Priyanka Gandhi Vadra called on President Kovind at Rashtrapati Bhavan: Rashtrapati Bhavan pic.twitter.com/jt1MO9vqbG
લખીમપુર ખીરીમાં પીડિત પરિવારોની માંગ છે કે તેમને ન્યાય મળે
રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરીમાં પીડિત પરિવારોની માંગ છે કે તેમના હત્યારાને તેની સજા મળે અને એમ પણ કહ્યું કે જે વ્યક્તિએ હત્યા કરી તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે. અત્યાર સુધી તેઓ તેમના પદ પર છે. હજું સુધી ન્યાય નથી મળ્યો. આ વાત અમે રાષ્ટ્રપતિને કરી છે.
અજયને સસ્પેન્ડ કરવાની માંગ કોંગ્રેસની નહીં જનતાની માંગ- પ્રિયંકા
ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમનો આશ્વાસન આપ્યું છે કે તે આજે આ મામલા પર સરકારની સાથે ચર્ચા કરશે. તેમને સસ્પેન્ડ કરવાની માંગ કોંગ્રેસની નથી, અમારા સાથીઓની નથી. આ જનતાની માંગ છે અને પીડિત ખેડૂતોના પરિવારની માંગ છે.
26 ઓક્ટોબરે ખેડૂતો લખનૌમાં મહાપંચાયત યોજશે
ઉલ્લેખનીય છે કે લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની ધરપકડ બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે.રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જ્યાં સુધી અજય મિશ્રા તેમના પદ પર રહેશે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ શક્ય નથી. સાથે જ તેમણે રાજીનામું નહીં આપે તો આંદોલનની વાત કરી છે. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે, “જો કેન્દ્રીય મંત્રી રાજીનામું નહીં આપે તો અમે અહીંથી આંદોલનની જાહેરાત કરીશું. લખનૌમાં આ અંગે એક મોટી પંચાયત હશે. " લખીમપુર કેસમાં રાકેશ ટિકૈતે પોતાની યોજના વિશે જણાવ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોની રાખ દેશના દરેક જિલ્લામાં જશે અને લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે.