પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ અને રાફેલ ડીલના મુદ્દે મોદી સરકાર પર પહેલાંથી જ આક્રમક જોવા મળતાં વિપક્ષને વધુ એક મુદ્દો હાથ લાગ્યો છે. બુધવારે વિજયા માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલે પહેલાં ટ્વીટ કરી જેટલીના રાજીનામાંની માંગ કરી ચુક્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વિત્ત મંત્રી અરૂણ જેટલીએ ભાગેડું દારૂ વેપારી વિજય માલ્યાને સંસદના કોઇ રૂમમાં નહી પરંતુ સંસદના સેન્ટ્રલ હોલમાં મુલાકાત કરી છે. આ મુલાકાતમાં વિજય માલ્યાએ અરૂણ જેટલીને લંડન જવાના છે પરંતુ જેટલીએ તપાસ એજન્સીને સૂચિત કરવાની જગ્યાએ જવા દીધા. શું આર્થિક આપરાધીને દેશમાંથી ભાગવામાં દીધો ? કે પછી તેમણે પ્રધાનમંત્રીના આદેશ મળ્યા હતા? અરૂણ જેટલીએ નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દે.
તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે કે ''તેમણે અરૂણ જેટલીને વિજય માલ્યાને મળતા જોયા હતા.''
પીએલ પુનિયાએ જણાવ્યું કે ''બજેટ રજૂ થયાં તેના આગલા દિવસે 1લી માર્ચે અરૂણ જેટલી અને વિજય માલ્યા વાત કરી રહ્યાં હતા. તેઓ લગભગ 15-20 મિનિટ સુધી વાત કરી રહ્યાં હતા.
પહેલાં બંને ઊભા રહીને વાત કરી રહ્યાં હતા જે બાદ બંને સેન્ટ્રલ હોલમાં બેસી વાત કરવા લાગ્યાં. જ્યારે મેં બે દિવસ બાદ વાંચ્યુ કે માલ્યા રવાના થઈ ગયા તો હું પરેશાન થઈ ગયો. અમે ઈચ્છીએ છીએ કે સંસદના CCTV ફુટેજની તપાસ થવી જોઈએ તેની તમામ વાસ્તવિકતા સામે આવી જશે.''
અરૂણ જેટલીએ કરી સ્પષ્ટતા:
જોકે બીજી તરફ અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં આ તમામ આરોપોને ફગાવી દીધા છે. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે ''વિજય માલ્યાએ કહ્યુ કે ''તેઓ ભારત છોડતા પહેલા સેટલમેન્ટની ઑફર લઇને મને મળ્યા હતા. તથ્યાત્મક રીતે આ નિવદેન તદ્દન ખોટું છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યાને કોઇ મુલાકાત માટેની અપોઇમેન્ટ આપી નથી એવામાં મને મળવાનો સવાલ જ ઉભો થતો નથી. જોકે તેઓ રાજ્યસભાના સભ્ય હતા અને ક્યારેક ક્યારેક સંસદમાં આવતા હતા. સંસદની કાર્યવાહી બાદ એક વખત હું જ્યારે મારા રૂમ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેઓ દોડતા-દોડતા મારી તરફ આવ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે હું સેટલમેન્ટ માટે એક ઑફર તૈયાર કરી રહ્યો છું. મેં તેમણી આ ઑફર જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. મેં માલ્યાને કહ્યુ કે મારી સામે ઑફર મૂકવાનો કોઇ અર્થ નથી તેમણે એ વાત બેંકોની સામે રાખવી જોઇએ. ત્યાં સુધી કે એ દરમિયાન તેમના હાથમાં જે પેપર હતા તે લીધા પણ નહોતા''