કેન્દ્ર સરકાર દ્વારા લગવામાં આવેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પંજાબની મુલાકાતે છે. રાહુલ ગાંધી રવિવાર અને સોમવારે ટ્રેકટર રેલીમાં સામેલ થયા, ખેતી બચાવો યાત્રાના નામથી નિકાળવામાં આવેલી આ રેલીમાં રાહુલ ગાંધીએ ટ્રેકટર પર બેસી કૃષિ કાયદાનો વિરોધ કર્યો.
પરંતુ સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલી તસવીરને લઇને ટ્રોલર્સનો શિકાર થયા. ખરેખર તો રેલી દરમિયાન રાહુલ ગાંધી ટ્રેકટર પર સોફાની સીટ પર બેઠેલા જોવા મળ્યા. જો કે આ મુદ્દા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
પટિયાલમાં મીડિયામાં સવાલોના જવાબ આપાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મારા ટ્રેકટર પર સોફા લગાવામાં આવ્યો હતો, તો નેરેટિવ બદલવાનો પ્રયત્ન થયો, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8,000 કરોડ રૂપિયાનું પ્લેન ખરીદ્યું, ત્યારે કાંઇ ન થયું. આ પ્લેનમાં બેસવા માટે સોફો નહીં, પરંતુ 50 પલંગ હશે. તેના પર કોઇ કેમ વાત કરી રહ્યું નથી.
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા પર સવાલના જવાબમાં કહ્યું કે નવા કાયદાથી ખેતી પર પ્રભાવિત થશે, પીએમ મોદી આ કાયદાને લઇને કેમ મૌન છે. રાહુલ ગાંધીએ પોલીસ સાથેના ઘર્ષણને લઇને કહ્યું કે ખેડૂતો માટે લાઠી ખાવા પણ હું તૈયાર છે.
રાહુલ ગાંધી હાથરસ જવા અંગેના સવાલના જવાબમાં કહ્યું કે દિકરીના પરિવારને ન્યાય મળે તે માટે હું હાથરસ ગયો. પરિવારને એખ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો છે.