કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું ઉદ્ધાટન કર્યું છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ નામ લીધા વગર કહ્યું કે ભાઇને ભાઇ સાથે લડાવીને વિકાસ ન થઇ શકે. છત્તીસગઢમાં હવે આદિવાસીઓની વાત સાંભળવામાં આવશે.
છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
ભાઇ-ભાઇને લડાવીને વિકાસ ન થઇ શકે
છત્તીસગઢમાં હવે આદિવાસીઓની વાત સાંભળવામાં આવશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોની આત્મહત્યા, અર્થવ્યવસ્થાના હાલ, બેરોજગારીને લઇને તમને બધી ખબર છે. આદિવાસી અને પછાત જાતિના લોકોને સામેલ કર્યા વગ હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા સુધારી શકાય નહીં. આપણે બધાને સાથે મળીને ચાલવું પડશે.
છત્તીસગઢમાં આદિવાસીઓનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે. મોદીના નામ લીધા વગર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાઇને ભાઇ સાથે લડાવીને વિકાસ ન થઇ શકે. ભારતની અર્થવ્યવસ્થા બધા ધર્મ અને જાતિને સાથે લીધા વગર ન ચાલી શકે.
જ્યાં સુધી બધા ભારતીયનો અવાજ લોકસભા તેમજ રાજ્યની વિધાનસભામાં સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી બેરોજગારી અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને કાંઇ કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન રાયપુરના સ્પાઇસ કોલેજ મેદાનમાં 27થી 29 ડિસેમ્બર સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.