કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં ભાજપના ચૂંટણી વાયદાની મજાક ઉડાવી હતી અને તેને ખોટો ગણાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે ભારતના ચૂંટણી પંચને ચૂંટણીના વાયદાઓનું ધ્યાન રાખવા અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
રાહુલ ગાંધીએ કરી મોદી સરકારની ટીકા
બિહાર ચૂંટણીમાં મફત રસીના વચનને ખોટું ગણાવ્યું
ઘણા કોંગ્રેસી નેતાઓએ આ મુદ્દે ચૂંટણી પંચને પગલાં લેવા કહ્યું
બિહાર ની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટમાં, જ્યારે ભાજપે મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેના પર વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ આ વાયદા સામે વિરોધ નોંધાવ્યો છે અને ચૂંટણી પંચ ને ભાજપ અને નાણાં પ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.
GOI just announced India’s Covid access strategy.
Kindly refer to the state-wise election schedule to know when will you get it, along with a hoard of false promises.
બિહારમાં ચૂંટણી વચન મુદ્દે રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના નેતૃત્વમાં પાર્ટીના નેતાઓએ બિહારને મફત કોરોના રસી આપવાના વચન પર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધી એ ટ્વીટ કર્યું, "ભારત સરકારે કોરોના રસી વિતરણની ઘોષણા કરી છે. તમને ક્યારે રસી અને ખોટા વચનો સાંભળવા મળશે તે જાણવા, કૃપા કરીને તમારી રાજ્યની ચૂંટણીની તારીખ તપાસો."
વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરૂરે પણ ભાજપની ટીકા કરી
કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે પણ ભાજપના આ વચન પર કડક ટિપ્પણી કરી હતી. સુભાષચંદ્ર બોઝના પ્રખ્યાત નારાને ટાંકીને થરુરે પોતાની ટ્વિટમાં લખ્યું હતું, "તમે મને મત આપો, હું તમને રસી ..." થરુરે આગળ લખ્યું, " આ કેવી ડર પેદા કરનારી ચાલ છે! શું ચૂંટણી પંચ તેમને અને કિનારે અટકેલી તેમની બેશરમ સરકારને ટોકશે?"
तुम मुझे वोट दो मैं तुम्हे वैक्सीन .... what appalling cynicism! Will the ElectionCommission rap her & her shameless Govt on the knuckles? https://t.co/ri1UlWWmgD
આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી પ્રચાર પ્રભારી રણદીપ સુરજેવાલાએ પટણામાં મીડિયાકર્મીઓને સંબોધતા નિ: શુલ્ક રસી આપવાના વચનને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું હતું. સુરજેવાલાએ કહ્યું, 'મોદીજીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધનમાં ભારતની જનતાને કહ્યું હતું કે રસીકરણમાં માં હજુ એક વર્ષ લાગશે, પરંતુ બિહારના તેમના નેતાઓ આપણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દરેકને ખબર છે બિહારમાં રોગચાળા દરમિયાન જે બન્યું, તેમાં હજારો લોકોના મોત થયા છે"