કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ઘટતા GDP અને બેરોજગારીના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે "વડા પ્રધાન દેશને સત્યથી ભાગી રહેવાનું શીખવી રહ્યા છે, જેના પરિણામે લાખો લોકોને આજીવિકા ગુમાવવાઈ પડી છે"
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર નિશાન સાધ્યું
"વડાપ્રધાન દેશને સત્યથી દૂર ભાગવાનું શીખવાડી રહ્યા છે" : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકારની નીતિઓ પર આક્રમક
તેમણે એક ન્યૂઝ ટ્વીટ શેર કરતા કહ્યું કે," આપણા વડા પ્રધાન ભારતને સત્યથી કેવી રીતે ભાગવું તે શીખવી રહ્યા છે. પરિણામે, લાખો લોકોનું ગૌરવ અને આજીવિકા ખોવાઈ ગયા છે."
GDP ના નુકસાનને વાળવામાં વર્ષો લાગી જશે: RBI ની સમિતિ
કોંગ્રેસના નેતાએ શેર કરેલા સમાચાર મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિએ સંકેત આપ્યો છે કે કુલ ઘરેલુ ઉત્પાદન GDP ના નુકસાનને પુન:પ્રાપ્ત કરવામાં વર્ષો લાગી શકે છે.
Our PM teaches India how to run from the truth. Millions of people have lost their dignity and livelihoods as a result. pic.twitter.com/obssMjsi9L
મહત્વનું છે કે રાહુલ ગાંધી નું નિવેદન બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ઘોષણા પત્રમાં 19 લાખ નોકરીઓ આપવાના વચન પર આવ્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે "તે લોકોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવા જેવું જ છે."
"PM મોદી પોતાને રાષ્ટ્રવાદી કહે છે પણ તેમણે દેશને નબળો પાડ્યો" : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી એ પોતાના ચૂંટણી સંબોધનમાં આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજ્યના ખેડુતો અને મધ્યમ અને નાના ધંધાઓની કરોડરજ્જુ તોડી નાખી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પોતાને રાષ્ટ્રવાદી કહે છે પરંતુ તેમણે છેલ્લા છ વર્ષમાં દેશને નબળો પાડ્યો છે. ભારત આજે નબળું છે. તેની અર્થવ્યવસ્થા દબાઇ છે, ખેડુતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને નાના દુકાનદારો બેચેન છે. આ જ કારણ છે કે ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી.