પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓના એક પ્રતિનિધમંડળ સાથે આજે શ્રીનગર જવા રવાના થયા છે. દિલ્હી ઍરપોર્ટ પરથી રાહુલ ગાંધી રવાના થયા છે ત્યારે સામે શ્રીનગરમાં ઍરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.
રાહુલ ગાંધીની શ્રીનગર જવાની તૈયારીઓ વચ્ચે જમ્મૂ કાશ્મીર પ્રશાસનનું એક નિવેદન આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું કે વિપક્ષી નેતા કાશ્મીર ન આવે અને સહયોગ આપે. પોલિસ સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી પ્રતિનિધિમંડળને શ્રીનગર એરપોર્ટથી બહાર નહીં જવા દેવાય.
શ્રીનગર એરપોર્ટ પર મીડિયા સાથે કરી મારપીટ
વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ જ્યારે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યું ત્યારે નેતાઓ અને મીડિયાને અલગ રાખવામાં આવ્યા. મીડિયાએ વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો પોલિસે તેમની સાથે મારપીટ કરી.
વિપક્ષી મંત્રીમંડળ શ્રીનગર જવા નીકળ્યું
વિસ્તારાની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટથી નીકળી ચૂકી છે. વિમાનમાં રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, શરદ યાદવ, માજિદ મેનન, મનોજ ઝા, ડી રાજા હાજર છે. મનોજ ઝાનું કહેવું છે કે અમને લોકોને શા માટે રોકવામાં આવી રહ્યા છે? અમે લોકોને મળવા માંગીએ છીએ. અમે દેશના નાગરિક છીએ. શરદ યાદવે પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ છે. અમે ભારતના આ ભાગમાં ન જઈ શકીએ?ડી રાજાનું પણ કહેવું છે કે અમે સરકારની શાંતિને વિશે જાણવા ઈચ્છીએ છીએ.
રાજ્યપાલના બોલાવવાથી વિપક્ષ જઈ રહ્યું છે કાશ્મીરઃ યેચૂરી
માકપાના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલે વિપક્ષી નેતાઓને વિનમ્રતાપૂર્વક આમંત્રિત કર્યું હતું કે તેઓ આવે અને કાશ્મીરની સ્થિતિ જુએ. અમે તેમના નિમંત્રણનું સન્માન કરીએ છીએ અને આજે શ્રીનગર પહોંચીશું.
The Governor of J&K had kindly invited Opposition leaders to come and see the normalcy which the Centre has been talking about. We deeply honour his invitation and will be reaching Srinagar today.
Opposition leaders D Raja, Sharad Yadav,Majeed Memon and Manoj Jha onboard flight to Srinagar.Opposition delegation including Rahul Gandhi are visiting Jammu & Kashmir today. pic.twitter.com/a5gxyy2i2o
કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બન્યું
અમિત શાહ હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રિય પોલિસ અકાદમીમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છું છું. તેઓએ 630 રજવાડાઓને એકસાથે કર્યા હતા. ફક્ત જમ્મૂ કાશ્મીર જ બચ્યું હતું. પીએમ મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370ને હટાવવામાં આવ્યો છે. અને જમ્મૂ કાશ્મીર સંપૂર્મ રીતે શેષ ભારતની સાથે એકીકૃત થયું છે.
HM Amit Shah at Sardar Vallabhbhai Patel National Police Academy in Hyderabad:I want to pay tributes to Sardar Patel; he united 630 princely states, only Jammu & Kashmir was left. Under PM Modi's leadership, article-370 has been abrogated & J&K fully integrated with rest of India pic.twitter.com/UIlmQd0zC8
Delhi: Congress leader Rahul Gandhi leaves from his residence. A delegation of Opposition leaders, including Rahul Gandhi, will visit Jammu & Kashmir today. pic.twitter.com/p8bXdufnCy
નેતાઓને નજરબંધ શા માટે કર્યા છે?: આઝાદ
કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે એક તરફ સરકારનું કહેવું છે કે કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે, અને અન્ય તરફ તે કોઈને જવાની અનુમતિ આપતા નથી. જો ચીજો સામાન્ય છે તો રાજકીય નેતાઓને નજરબંધ શા માટે કરવામાં આવી રહ્યા છે?
Ghulam Nabi Azad who is part of Opposition delegation which will visit J&K today: On one hand Govt says situation is normal, and on the other hand they don't allow anyone to go.Never seen such contradictions. If things normal then why political leaders are under house arrest? pic.twitter.com/xRlD8DNGuU
અમે કોઈ મુશ્કેલી સર્જવા નથી જઈ રહ્યા
માજિદ મેનન એનસીપીના નેતાએ કહ્યું કે અમારો ઉદ્દેશ કોઈ ગરબડ કરવાનો નથી, અમે સરકારની વિરુદ્ધમાં જઈ રહ્યા નથી. અમે સરકારના સમર્થનમાં જઈ રહ્યા છીએ જેથી અમે પણ કહી શકીએ કે શું કરવું જોઈએ.
NCP leader Majeed Memon who is part of Opposition delegation which will visit J&K today: Our motive is not to go & create disturbances, we aren't going in govt's opposition, we are going in govt's support, so that we too give suggestions as to what must be done. pic.twitter.com/U502HYoEz1
પ્રશાસને કહ્યું કંઈક આવું
કાશ્મીર ન આવીને રાહુલ ગાંધી સહયોગ કરે. રાહુલ ગાંધીની શ્રીનગર જવાની તૈયારીની વચ્ચે જમ્મૂ કાશ્મીર પ્રશાસનનું નિવેદન આવ્યું છે. જમ્મૂ કાશ્મીર પ્રશાસને કહ્યું છે કે વિપક્ષી નેતા કાશ્મીર ન આવે અને સહયોગ આપે. પોલિસ સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી પ્રતિનિધિમંડળને શ્રીનગર એરપોર્ટથી બહાર જવા દેવામાં આવશે નહીં. પ્રશાસને ટ્વિટ કરી, નેતાઓની આ મુલાકાતથી અસુવિધા સર્જાશે. અમે લોકોને આતંકીઓથી બચાવવામાં કાર્યરત છીએ. પ્રશાસને કહ્યું કે નેતા તે પ્રતિબંધોનું ઉલ્લંઘન પણ કરી રહ્યા હશે, જે હાલમાં અનેક વિસ્તારોમાં લાગૂ છે. વરિષ્ઠ નેતાઓએ સમજવું જોઈએ કે શાંતિ, વ્યવસ્થા જાળવી રાખવા અને નુકસાનને રોકવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.