દશેરાના દિવસે મોહન ભાગવતના ચીન મુદ્દે નિવેદનના મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપીને ફરીથી સરહદ વિવાદનો મુદ્દો ઉછાળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગવત સત્યનો સામનો કરવાથી ડરી રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ RSSના વડા મોહન ભાગવત પર આપ્યું મોટું નિવેદન
દશેરા નિમિત્તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કાર્યકરોને સંબોધન કર્યું
ભારતે જે રીતે જવાબ આપ્યો તેનાથી ચીન ગભરાયું છે : ભાગવત
ભાગવત અંદરથી સત્ય જાણે છેઃ રાહુલ ગાંધી
વિજ્યાદશમીએ મોહન ભાગવતે ચીન પર આપેલા નિવેદન પર રાહુલ ગાંધીએ મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું લે અંદરથી મોહન ભાગવત સત્ય જાણે છે, તે માત્ર તેનો સામનો કરવાથી ડરી રહ્યા છે. સત્ય એ છે કે ચીને આપણી જમીમ લઇ લીધી છે.
ચીન મુદ્દે મોહન ભાગવતના નિવેદનનો મામલો
નોંધનીય છે કે વિજયદશમીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે ચીનને લઈને કહ્યું હતું કે આખી દુનિયાએ જોયું છે અને ચીનના વિસ્તારવાદી વ્યવહારને બધા જાણે છે. ચીન કેટલાય દેશો- તાઈવાન, વિયેતનામ, અમેરિકા અને ભારત સાથે લડી રહ્યું છે પરંતુ ભારતે જે પ્રતિક્રિયા આપી છે તેનાથી ચીન ગભરાઈ ગયું છે.
"સત્ય એ છે કે ચીને ભારતની જમીન હડપી"
આરએસએસ પ્રમુખના આ નિવેદન પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી અને કેન્દ્ર સરકાર પર ફરીથી ચીન મુદ્દે હુમલો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય તો એ છે લે ચીને આપણી જમીન લઇ લીધી છે અને ભારત સરકાર તથા RSSએ તેને મંજૂરી આપી છે.