તરાઈ એક વર્ચ્યુઅલ રેલીમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રહાર કરતાં તેઓને રાજા કહી દીધા હતા. તેમણે કહ્યું હતું કે મનમોહન સિંહનો સમય ગોલ્ડન પિરિયડ હતો.
તરાઈ ખાતે રાહુલ ગાંધીની ચૂંટણી સભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કર્યા આકરા પ્રહાર
આજે દેશમાં રાજા છે
તરાઈ ખાતે એક વર્ચ્યુઅલ રેલીમાં ખેડૂતો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજા કહી દીધા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકર ફરી સત્તામાં આવે એમાં જ ખેડૂતોનું માન સમ્માન જળવાશે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સરકારની નીતીઑ ખેડૂત વિરોધી રહી છે.
Congress leader Rahul Gandhi to visit Uttarakhand on February 5. He will hold virtual poll campaign in Haridwar and Haldwani: Congress state in-charge Devender Yadav
ઉધમ સિંહ નગર જિલ્લાના કીચ્છા સ્થિત મંડી પરિસરમાં કોંગ્રેસની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબંધોન કર્યું હતું.
ખેડૂતોએ હિન્દુસ્તાનની સરકારને સચ્ચાઈ બતાવી
આ વર્ચ્યુઅલ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું ખેડૂતોને અભિનંદન આપવા માગું છું કે તેમણે ત્રણ કાયદાઓ વિરુદ્ધ પહાડની જેમ ઊભા રહ્યા અને લડત આપી. તેઓ એક ઇંચ પણ હલ્યા નહીં અને એક ડગલું પણ પાછળ હટ્યા વગર ઊભા રહ્યા. આપણે હિન્દુસ્તાનની સરકારને સચ્ચાઈ બતાવી. આ સરકારને એ દર્શાવવું જરૂરી હતું. તેમણે દેખાડ્યું હતું કે તમે માત્ર ભોજન જ નથી આપતા પણ રસ્તો પણ દેખાડો છો, વર્ષોથી અઅ ક્રમ ચાલુ ચે આનએ અંગ્રેજો સમએ લડાઈમાં મોટા ઉદ્યોગપતિઓ નહોતા તેમાં પણ ખેડૂતો અને મજૂરો જ લડાઈ લડ્યા હતા.
મનમોહન સિંહનો ટાઈમ ગોલ્ડન પિરિયડ હતો
તેમણે કહ્યું હતું કે મનમોહન સિંહનો સમય ગોલ્ડન પિરિયડ હતો કારણ કે એ સમયે ખેડૂતો અને સરકાર વચ્ચે સારી પાર્ટનરશીપ હતી. સરકારના દરવાજા ખુલ્લા હતા. જે તમારા દિલમાં હોય એ કહી શકાતું હતું. એ સમયે હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી હતા પણ આજે દેશમાં રાજા છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી પણ રાજા છે.
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી પણ રાજા
તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી હતા પણ આજે દેશમાં રાજા છે. અને રાજા જનતાનું સાંભળતા નથી. ખેડૂત એક વર્ષ ઠંડી અને કોવિડમાં રસ્તે ઊભા રહ્યા હતા. પણ પ્રધાનમંત્રીએ તેમની સાથે વાત કરવાની પણ ટ્રાય કરી નહીં. UPA સરકાર દરમિયાન અમે ખેડૂતોની માંગ પર 10 દિવસમાં 70 હજાર કરોદ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. અમારી ઈચ્છા હંમેશા તમારી સાથે પાર્ટનરશિપ કરવાની છે જેથી તમને લાગે કે સરકાર તમારી પોતાની છે. અઅ દરમિયાન રાહુલે એમ પણ કહ્યું હતું કે હું તમને ગેરંટી આપું છું કે જો નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે જે કર્યું તે કોંગ્રેસ પાર્ટી મરી જશે, ખતમ થઈ જશે પણ ક્યારેય એવું તો નહીં જ કરે.