કોરોના વાયરસના કારણે ઉભા થયેલા સંકટની સૌથી મોટી અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો GDPમાં જોવા મળી શકે છે. આ નિવેદનને લઇને કોંગ્રેસનાના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ આ નિવેદનને ટાંકીને લખ્યું કે 'મોદી હે તો મુમકીન હે'.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સંકટ પહેલાથી જ ભારતના GDPમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ લોકડાઉનના પગલે તેમાં વધારો ઝટકો લાગ્યો. દુનિયાની ઘણી એજન્સીઓએ ભારતના GDPમાં 9 ટકા સુધીના ઘટાડા અંગે શક્યતા વ્યક્ત કરી હતી.
આ વચ્ચે ઇન્ફોસિસિના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિનું ભારતના GDPને લઇને નિવેદન સામે આવ્યું. જેમાં નારાયણ મૂર્તિએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવી જોઇએ. આ વખતે GDPમાં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત કોરોના સંકટ અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા આવ્યાં છે. રાહુલ ગાંધી સતત ટ્વિટ કરી, વીડિયો જાહેર કરી અને નિષ્ણાંતોની સાથે વાત કરી કેન્દ્ર પર નિશાન સાધતા રહ્યાં છે. હાલમાં જ યૂથ કોંગ્રેસ તરફથી રોજગાર બે કેમ્પેઇન ચલાવામાં આવ્યું હતું.
જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દરમિયાન કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં 14 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આ બધા માટે મોદી સરકારની ખોટી નીતિઓ જવાબદાર છે.