જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લાંબા સમય બાદ મૌન તોડ્યું છે. રાહુલે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ બિલનો વિરોધ કર્યો હતો. રાહુલે સરકાર પર કાશ્મીરને તોડવાના આરોપ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરમાંથી 370 હટાવવાના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લાંબા સમય બાદ મૌન તોડ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ કે, જમ્મુ-કશ્મીરને એક તરફી નિર્ણય દ્વારા ટુકડાઓમાં વહેંચવા, જન પ્રતિનિધિઓને જેલભેગા કરવા અને બંધારણનું ઉલ્લંઘન રાષ્ટ્રીય એકીકરણ ન હોઈ શકે. દેશ લોકોથી બને છે, જમીનના ટુકડાથી નહીં. શક્તિના આ પ્રકારે ખોટી રીતે ઉપયોગથી રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર અસર પડશે.
National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.
This abuse of executive power has grave implications for our national security.
રાહુલ ગાંધીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભામાં સરકારના નિર્ણયને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમા ગરમી ચાલી રહી હતી. સંસદના નીચલા ગૃહમાં જમ્મુ-કશ્મીર પુન: ગઠન બિલ પર ચર્ચાની માંગણી કરતા ગૃહમંત્રીએ વિરોધ પક્ષને અનેક પ્રકારના જવાબ આપ્યા હતા. કોંગ્રેસ આ બિલનો વિરોધ કરી રહી છે. જો કે આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પાસ થયું છે.
લોકસભામાં 366 મત કર્યા પ્રાપ્ત
જમ્મુ કાશ્મીરમાં હવે રાજ્ય પુનર્ગઠન બિલ અને જમ્મુ કાશ્મીર આરક્ષણ બિલ પર સદનમાં પાસ કરવામં આવ્યું હતું. જેના પર મતદાન થયું હતું જેમાં બિલના પક્ષમાં 366 અને વિપક્ષમાં 66 મત પડ્યા હતા. એક સાંસદ ગેર હાજર રહ્યા જ્યારે 433 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સરકારે આરોપ લગાવ્યો હતો કે, નિયમોનું ઉલ્લંઘન કરતા રાતોરાત એક રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે. સત્તાપક્ષ અને વિપક્ષના તમામ સાંસદો આ સંકલ્પ પર પોતાનો વિચાર રજુ કર્યો હતો અને લાંબી ચર્ચાના અંતે આ બિલ પાસ કરવામાં આવ્યું હતું.