2019માં કર્ણાટક ચૂંટણીપ્રચારમાં મોદી અટકને લઈને વાંધાજનક ટિપ્પણી કરવા માટે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી. સજા સંભળાવ્યાનાં 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું..
રાહુલ ગાંધીને ભારે પડ્યો માનહાનિ કેસ
બે વર્ષની સજા,લોકસભાની સદસ્યતા રદ
"દેશ માટે લડી રહ્યો છું...દરેક કિંમત ચૂકવવા તૈયાર છું"
અમારો અવાજ દબાવવાનો પ્રયાસ-કોંગ્રેસ
રાહુલ ગાંધી પાસે હવે રસ્તો શું?
સજા સામે અપીલ માટે 30 દિવસનો સમય
2024ની ચૂંટણીમાં શું અસર થશે?
આજે સ્વભાવિકપણે ચર્ચિત મુદ્દો શું છે તે કહેવાની જરૂર નથી પણ મુદ્દાને લઈને જે સવાલો થાય તેની ચર્ચા જરૂરી છે.. 2019માં કર્ણાટક ચૂંટણીપ્રચારમાં મોદી અટકને લઈને વાંધાજનક ટિપ્પણી કરવા માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી. અને તે પછી 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું..કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સ્પીકરના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યા કે રાહુલ સરકાર સામે સંસદમાં નિડરતા બતાવીને બોલતા રહ્યા છે તે બદલ રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો આ પ્રયાસ છે. લોકપ્રતિનિધિ ધારાની કલમ બહુ સ્પષ્ટ છે એટલે જેલવાસથી ભલે રાહુલ ગાંધી હાલ બચી ગયા પણ તેનું સંસદસભ્ય પદ ખતમ થવું સ્વભાવિક છે.
જો લોકસભા સ્પીકરનો આ નિર્ણય જો માન્ય રહે તો રાહુલ ગાંધી 2031 સુધી ચૂંટણી નહી લડી શકે. સમયની ગતિને એટલે માન આપવું પડે કે જે જનપ્રતિનિધિનું સભ્યપદ ટકી રહે તે માટે તત્કાલિન યુપીએ સરકાર જે અધ્યાદેશ લાવી હતી તેને રાહુલ ગાંધીએ ફાડીને ફેંકી દેવા આહવાન કર્યુ હતુ.. એવું નથી કે કોઈ ધારાસભ્ય કે સાંસદનું સભ્યપદ રદ નથી થયું પણ ઈન્દિરા ગાંધી પછી ગાંધી પરિવારના મોટા નેતાનું સભ્યપદ ગયું તેનાથી રાજકીય વર્તુળો ચકરાવે તો ચડી જ ગયા છે.. હવે રાહુલ ગાંધી પાસે વિકલ્પ શું, કોંગ્રેસનું સ્ટેન્ડ શું, શું રાહુલ ગાંધી 2031ના વર્ષ સુધી ચૂંટણી લડવા અયોગ્ય જ રહેશે?, કાયદાની કસોટીએ જયારે રાજકારણ ચડ્યું છે ત્યારે અનેક સવાલોના જવાબ મેળવવા કરીશું.
સુરતની ચીફ જ્યુડિશીયલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી શકે છે
સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અપીલ કરી શકે છે
હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં પણ અપીલ કરી શકે છે
સેશન્સ કોર્ટથી રાહત ન મળે તો રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે
રાહુલ ગાંધી પાસે ક્યા વિકલ્પ?
સુરતની ચીફ જ્યુડિશીયલ કોર્ટનાં ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી શકે છે. સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અપીલ કરી શકે છે. હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટથી રાહત ન મળે તો રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે.
વર્ષ 2013માં સુપ્રીમકોર્ટે લોકપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત નિર્ણય આપ્યો
કલમ 8(4)માં જોગવાઈ છે કે દોષિત જનપ્રતિનિધિને બચાવતી કલમ હતી
આ કલમમાં દોષિત જનપ્રતિનિધિ ઉપલી કોર્ટમાં અપીલ કરે તો સભ્યપદ બચી જાય
એ અધ્યાદેશ ન ફાડ્યો હોત તો..
વર્ષ 2013માં સુપ્રીમકોર્ટે લોકપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત નિર્ણય આપ્યો હતો. નામદાર કોર્ટે લોકપ્રતિનિધિ ધારાની કલમ 8(4)ને ગેરબંધારણીય ગણાવી છે. કલમ 8(4)માં જોગવાઈ છે કે દોષિત જનપ્રતિનિધિને બચાવતી કલમ હતી. ત્યારે આ કલમમાં દોષિત જનપ્રતિનિધિ ઉપલી કોર્ટમાં અપીલ કરે તો સભ્યપદ બચી જાય. પરંતું જ્યાં સુધી અપીલ પડતર રહે ત્યાં સુધી જનપ્રતિનિધિ સભ્યપદે ચાલુ રહી શકે છે. તત્કાલ સભ્યપદ રદ ન થાય તે માટે તત્કાલિન સરકાર અધ્યાદેશ લાવી હતી. જે અધ્યાદેશ મુજબ જો જનપ્રતિનિધિ સામેનો મામલો પડતર છે તો સભ્યપદ રદ નહીં થાય. ત્યારે રાહુલ ગાંધીએ જે તે સમયે આ અધ્યાદેશને બકવાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આ અધ્યાદેશ ફાડીને ફેંકી દેવો જોઈએ. જો આ અધ્યાદેશ પાસ થયો હોત તો રાહુલ ગાંધીનું સભ્યપદ બચી ગયું હોત.
દાદી ઈન્દિરાએ પણ તેમનું સભ્યપદ ગુમાવ્યું
એક સમય એવો હતો જ્યારે તેમના દાદીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી તેમના માટે લાઈફલાઈન બની ગયા હતા. વાર્તા એ જ કટોકટી સાથે સંબંધિત છે. એવું બન્યું કે કટોકટીના ખરાબ તબક્કા પછી, જ્યારે ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ઈન્દિરા ગાંધીને કારમી હાર મળી. આ પછી 1977-78નો સમયગાળો ખૂબ જ નાટકીય રહ્યો. 1978માં કર્ણાટકના ચિકમગલુરથી પેટાચૂંટણી જીતીને ઈન્દિરા ગાંધી લોકસભામાં પહોંચ્યા હતા.
સોનિયા ગાંધીની પણ સદસ્યતા કરવામાં આવી હતી રદ્દ
જ્યારે સંસદમાં 'ઓફિસ ઓફ પ્રોફિટ'નો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. દેશમાં યુપીએનું શાસન છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ આરોપથી ઘેરાયેલા છે. વાસ્તવમાં સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ હતા. આ સાથે તે યુપીએ સરકાર દરમિયાન રચાયેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદના અધ્યક્ષ પણ હતા જેને 'લાભના પદ' તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે સોનિયા ગાંધીએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ રાયબરેલીમાંથી ફરીથી ચૂંટણી લડ્યા હતા.જોકે, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી બંને રાજકીય ઉતાર-ચઢાવનો સામનો કર્યા પછી તેઓ ફરીથી મજબૂત રીતે પાછા આવ્યા. રાહુલ ગાંધી ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેમનું સભ્યપદ ગયું છે. અગાઉ તેઓ અમેઠીમાં સત્તા ગુમાવી ચૂક્યા છે અને હવે વાયનાડ પણ હાથમાંથી બહાર છે. હવે જોઈએ આગળ શું થાય છે..
સજાને કારણે ગુમાવ્યું સભ્યપદ
આઝમ ખાન
આઝમખાને પણ વડાપ્રધાન ઉપર અશોભનીય ટિપ્પણી કરી હતી. જેના કારણે કોર્ટે સંભળાવી 3 વર્ષની સજા સંભળાવી હતી.
અબ્દુલ્લા આઝમ
અબ્દુલ્લા આઝમે પણ મુરાદાબાદની વિશેષ કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી. આ મામલો 15 વર્ષ જૂનો હતો.
વિક્રમ સૈની
વિક્રમ સૈનીને પણ મુઝ્ઝફરનગરના ખતૌલીથી ધારાસભ્ય હતા. ત્યારે 2013ના મુઝ્ઝફરનગર રમખાણ કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી.
મોહમ્મદ ફૈઝલ
મોહમ્મદ ફૈઝલ જેઓ લક્ષદ્વીપથી સાંસદ હતા. તેઓ પર કોંગ્રેસના નેતા ઉપર હુમલો કરવાનો આરોપ હતો. જે આરોપમાં કોર્ટે તેમને 10 વર્ષની સજા સંભળાવી હતી.
મમતા દેવી
મમતા દેવી જેઓ ઝારખંડથી ચૂંટાયા હતા. તેઓને 2016 નાં રમખાણ-હત્યાના પ્રયાસનાં કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જેઓને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હતી.
ખબ્બુ તિવારી
ખબ્બુ તિવારી જેઓ અયોધ્યાની ગોસાઈગંજ બેઠકનાં ધારાસભ્ય હતા. નકલી માર્કશીટનાં કેસમાં 5 વર્ષની સજા ફટકારી હતી.
કુલદીપસિંહ સેંગર
કુલદીપસિંહ સેંગર જેઓ ઉન્નાવ રેપ કેસમાં દોષિત સાબિત થયા હતા. જેઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.
અશોક ચંદેલ
અશોક ચંદેલને પણ હત્યાના કેસમાં ઉમરકેદની સજા કોર્ટે સંભળાવી હતી. તે સજા બાદ તેઓનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું.
અનિલકુમાર સાહની
અનિલકુમાર સાહનીને પણ છેતરપિંડીના કેસમાં દિલ્લીની અદાલતે સજા સંભળાવી હતી. જેઓને ત્રણ વર્ષની સજા થયા બાદ ધારાસભ્યપદ રદ થયું.