ભારત અને ચીનની સરહદ પર થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેના 20 જવાન શહીદ થઇ ગયા, આ ઘટનાને લઇને દેશમાં જનતાનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મામલે સતત મોદી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી સર્વદળીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર આકરા પ્રહાર કરતાં સવાલ કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો, પરંતુ કેન્દ્ર સરકાર સુતી રહી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
ચીને પ્લાન કરી કર્યો હુમલો, સરકાર સુતી રહી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથે થયેલી હિંસક ઝડપને લઇને આજે ટ્વિટ કર્યું અને ત્રણ મુદ્દાઓને ઉઠાવ્યાં. રાહુલ ગાંધીએ લખ્યું કે હવે એ નક્કી થયું ગયું છે કે ચીને જે ગલવાનમાં હુમલો કર્યો તે પહેલાથી જ પ્રી-પ્લાન કરેલ હતો, ભારત સરકાર આ દરમિયાન સુતી જોવા મળી અને પરેશાનીને ટાળતી રહી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સાથે લખ્યું કે મોદી સરકારની લાપરવાહીનું પરિણામ આપણા જવાનોને ભોગવવું પડ્યું. રાહુલ ગાંધીએ આ ટ્વિટ સાથે સમાચાર એજન્સી ANI ના સમાચારને પણ ટ્વિટ કર્યું છે, જેમાં રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકનું નિવેદન સામેલ છે. શ્રીપદ નાઇકે માન્યુ છે કે ચીન દ્વારા કરવામાં આવેલ હુમલો પહેલાથી જ પ્રી-પ્લાન હતો, ભારતીય સેનાએ ચીનનો જડબાતોડ જવાબ આપશે.