સંસદના મૉનસૂન સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા એક જવાબને લઇને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહી છે. લોકડાઉનમાં કેટલા શ્રમિકોના મૃત્યું થયા, આ સવાલ પર સરકારે જણાવ્યું હતું કે તેમની પાસે આંકડા નથી.
હવે આ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યું થયા અને કેટલાની નોકરી ગઇ.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરીનો સહરો લીધો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે 'તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઇ? હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.'
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રવાસી શ્રમિકોના મૃત્યુંને લઇને આકરા પ્રહાર કર્યાં છે. મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યું થયાં અને કેટલાની નોકરી ગઇ.
તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઇ?
હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ,
ઉનકા મરના દેખા જમાનેને,
એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.'
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ પછી જ્યારે દેશમાં લોકડાઉન લગાવામાં આવ્યું હતું, ત્યારે પ્રવાસી શ્રમિકોપર તેની ઘણી અસર થઇ હતી. લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો દૂર રોડ પર હતા. આ દરમિયાન ઘણાના મૃત્યુંના સમાચાર સામે આવ્યાં હતા.
मोदी सरकार नहीं जानती कि लॉकडाउन में कितने प्रवासी मज़दूर मरे और कितनी नौकरियाँ गयीं।
तुमने ना गिना तो क्या मौत ना हुई?
हाँ मगर दुख है सरकार पे असर ना हुई,
उनका मरना देखा ज़माने ने,
एक मोदी सरकार है जिसे ख़बर ना हुई।
આ મુદ્દા પર સોમવારે સંસંદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન હજારો શ્રમિકોના મૃત્યું થયા છે, શુ સરકાર પર તેની પાસે કોઇ સત્તાવાર આકંડો છે. જેના પર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે તેમની પાસે કોઇ આંકડો નથી.