કોરોના વાયરસ હોય કે ચીન ભારતનો ગલવાન વિવાદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. તેઓ વારંવાર ટ્વીટ કરીને સત્તા પક્ષ પર નિશાન સાધતા રહ્યા છે. ત્યારે ફરી એક વાર રાહુલા ગાંધીએ મોદી સરકાર પર વધુ એક પ્રહાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું તે કે સરકાર શ્રમિક ટ્રેનમાંથી નફો કમાઈ છે.
રાહુલે મોદી સરકારને ગણાવી ગરીબ વિરોધી સરકાર
શ્રમિક ટ્રેનોથી સરકારે કરેલી કમાણીનો અહેવાલ કર્યો ટ્વિટ
બીમારીના વાદળ છવાયા છે, લોકો મુશ્કેલીમાં છે: રાહુલ
સરકાર સંકટને ફાયદામાં બદલી કમાઇ રહી છે: રાહુલ
રાહુલ ગાંધીનો મોદી સરકાર પર વધુ એક પ્રહાર કરતા ટ્વીટ કરી છે. તેમણે મોદી સરકારને ગરીબ વિરોધી સરકાર ગણાવી છે. શ્રમિક ટ્રેનોથી સરકારે કરેલી કમાણીનો અહેવાલ ટ્વિટ કર્યો છે. રાહુલે લખ્યું છે કે બીમારીના વાદળ છવાયા છે, લોકો મુશ્કેલીમાં છે. ત્યારે પણ સરકાર કમાવાની તક છોડતી નથી. સરકાર સંકટને તકમાં બદલી કમાણી કરી રહી છે.
बीमारी के ‘बादल’ छाए हैं, लोग मुसीबत में हैं, बेनिफ़िट ले सकते हैं - आपदा को मुनाफ़े में बदल कर कमा रही है ग़रीब विरोधी सरकार। pic.twitter.com/YSUsxIpSvC
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર સંકટમાં પણ ગરીબો પાસેથી નફો વસૂલવા કોઈ કસર છોડી નથી. રાહુલે ટ્વીટની સાથે કહ્યું કે કોરોનાકાળમાં દોડાવવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેનથી 428 કરોડ રુપિયા કમાણી કરી છે. સંકટના વાદલ છવાયા છે. લોકો મુશ્કેલીમાં છે છતાં કમાવાનું છોડતા નથી.
ઉલ્લેખનીય છે કે 25 માર્ચના રોજ થયેલા લોકડાઉનમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પ.બંગાળ અને ઓડિસાના લાકો મજુરો મુંબઈ, પુના, દિલ્હી, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે તેમના માટે દોડાવવામાં આવેલી ટ્રેનના ભાડાને લઈને વિવાદ પણ થયો હતો. ત્યારે કેન્દ્ર સરકારે સફાઈ આપી હતી કે પ્રવાસનો 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. 15 ટકા રાજ્ય સરકારે આપવાનો રહેશે. ત્યારે કેન્દ્રના અધિકારીઓએ આ કામમાં રાજ્ય રોડા નાંખી રહ્યા હોવાની પણ વાત હતી.