પંજાબમાં રાજનૈતિક ઉથલપાથલની વચ્ચે રાહુલ ગાંધીએ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ વિરૂદ્ધ અસહમતિ દર્શાવતા 13 ધારાસભ્યોને બોલાવ્યા છે.
13 ધારાસભ્યોની બેઠક બોલાવી
પંજાબમાં રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે બેઠક
સોનિયા ગાંધી દ્વારા ગઠિત ત્રણ સદસ્યી સમિતિથી મળશે
પંજાબમાં રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીએમ કેપ્ટન અમરિંદર સિંહના વિરૂદ્ધ અસહમતિ દર્શાવતા 13 ધારાસભ્યોને બોલાવ્યા છે. તેમાં મંત્રી સુખવિંદર સિંહ રંધાવા, તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખવિંદર સિંહ સરકારિયા, રજીયા સુલ્તાના, ચરણજીત સિંહ ચન્ની અને ભારત ભૂષણ આશુ અને ધારસભ્ય અમરિંદર સિંહ રાજા વારિંગ, કુશલદીપ સિંહ, ઈન્દ્રહીર બોલારિયા, સંગત સિંહ ગિલજિયાન, કુલજીત સિંહ નાગરા અને ડીસી તરસેમ સિંહ સામેલ છે. આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધૂના મુખ્ય સહયોગી પરગટ સિંહ પણ વાયનાડના સાંસદનો ફોન આવ્યો છે.
રાહુલ ગાંધીની સાથે બેઠક મંગળવારે શરૂ થશે. તેજ દિવસે સીએમ એમરિંદર સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ગઠિત ત્રણ સદસ્યી સમિતિથી મળશે. જેમાં રાજ્યસભા એલઓપી મલ્લિકાઅર્જુન ખડગે, દિલ્હીના પૂર્વ સાંસદ જેપી અગ્રવાલ અને પંજાબના પ્રભારી એઆઈસીસી મહાસચિવ હરીશ રાવત સામેલ થવાના છે. નવજોત સિંહ સિદ્ધૂ અને એમરિંદર સિંહ ગુટોની વચ્ચે વધતી જતી તિરાડને ધ્યાનમાં રાખીને 28 મેએ ગઠિત પેનલે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા વિચારો જાણવા માટે દરેક હિતધારકો સાથે મુલાકાત કરી.
સામે આવી સિદ્ધૂની નારાજગી
મહત્વનું છે કે નવજોત સિંહ સિદ્ધૂ જુલાઈ 2019માં કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ પણ ધારાસભ્ય છે. તેમણે પાર્ટીની ગતિવિધિઓથી દૂરી બનાવી લીધી છે. આ ઉપરાંત તે ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબી અને ત્યાર બાદ પલીસ ફાયરિંગની ઘટનાઓનાં ન્યાયમાં કથિત રીતે મોડુ થવાને લઈને રાજ્ય સરકાર અને પંજાબના સીએમ પર વારંવાર હુમલો કરતા રહ્યા છે. જોકે સિંહ અને સિદ્ધૂએ 17 માર્ચ, 2021ને ચાને લઈને પોતાના મતભેગોને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ચાય પર ચર્ચાથી કોઈ સકારાત્મક પરિણામ ન મળ્યું. હકીકતે સિંહ અને સિદ્ધૂની વચ્ચે પંજાબ અને હરિયાણા એચસી દ્વારા 9 એપ્રિલે ગોળીબારના મામલામાં એસઆઈટી તપાસને રદ્દ કર્યા બાદ સંબંધ ખરાબ થઈ ગયા છે.