અલવર સામૂહિક બળાત્કારની ઘટનાના કેટલાક દિવસો આજે રાહુલ ગાંધીએ પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું, પીડિતા અને તેમના પરિવારને જરૂર ન્યાય મળશે. રાહુલ ગાંધીએ સાથે કહ્યું કે આ મુદ્દો તેમના માટે રાજનીતિક નહીં, પરંતુ ભાવનાત્મક છે.
રાહુલ ગાંધીની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાઇલટ પણ હાજર હતા. પીડિત પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, 'જેટલી જલ્દી થઇ શકે, ન્યાય કરવામાં આવશે'.
અલવર ગેંગરેપ મામલે રાજસ્થાનની કોંગ્રેસ સરકારના નરમ વલણના બીજેપીના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું આ મુદ્દા પર રાજનીતિ નથી કરવા માંગતો. એ મારા માટે એક ભાવનાત્મક મુદ્દો છે. હું એ સંદેશ આપવા માંગુ છું કે મહિલાઓ વિરુદ્ધ આ પ્રકારના વ્યવહારને નહીં ચલાવી લેવાય'.
રાહુલ ગાંધી સાથે કહ્યું કે, આ મામલે કોઇપણ દોષિતને છોડવામાં નહીં આવે. કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, 'પીડિત પરિવારે જે પણ મને કહ્યું છે, હું તેના પર યોગ્ય એક્શન લેવાની કોશિશ કરીશ.'
અલવર ગેંગરેપ મામલે નરમ વલણ મામલેના આરોપ ફગાવતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે 2 મે એફઆરઆઇ નોંધવામાં આવી ચૂકી છે.
આપને જણાવીએ કે 26 એપ્રિલના દિવસે રાજસ્થાનના અલવરમાં ગેંગરેપની ઘટના બની હતી. જ્યારે કેટલાક લોકોએ બાઇક પર જઇ રહેલા એક દંપતીને કેટલાક કલાક સુધી બંધક બનાવી દીધા હતા. આ દરમિયાન આરોપીઓએ ન માત્ર મહિલા સાથે સામૂહિક બળાત્કાર કર્યો પરંતુ તેનો વીડિયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. આ દરમિયાન મહિલાના પતિને પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
પીડિત પરિવારે જ્યારે આ મામલાની ફરિયાદ કરવા પહોંચી તો પોલીસે પહેલા તેને ટાળવાની કોશિશ કરી. પોલીસે કથિત રીતે કહ્યું કે હાલ તમામ અધિકાીર ચૂંટણીમાં વ્યસ્ત છે તેથી થોડા સમય બાદ કાર્યવાહી કરવામાં આવશે.