કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હવે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમની જેમ મન કી બાત (Mann Ki Baat) કરવા જઈ રહ્યા છે. તેઓ એક પૉડકાસ્ટ કાર્યક્રમ શરૂ કરી શકે છે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું છે કે હાલમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે અને એક્સપર્ટ્સની સલાહ પણ લેવામાં આવી રહી છે.
હવે PM મોદીની જેમ રાહુલ ગાંધી પણ કરશે આ કામ
મન કી બાત માટે તૈયાર કરી રહ્યા છે પ્લાન
ઓનલાઈન પૉડકાસ્ટની થઈ રહી છે તૈયારી
પૉડકાસ્ટ એ ઓડિયો સંદેશ અથવા ડિસ્કશન છે જે ડિજિટલ રીતે પ્રસારિત કરવામાં આવે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એકવાર પ્લાન તૈયાર થઈ જાય, તો રાહુલ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીના મન કી બાતનો જવાબ આપશે. કોંગ્રેસના પૂર્વ વડાએ થોડા સમય પહેલા તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી, પરંતુ તેને લોકડાઉનના સમયમાં જ પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. તેના અત્યાર સુધીમાં 294,000 સબ્સ્ક્રાઇબર્સ છે.
PM મોદી અને રાહુલ ગાંધીના ક્યાં કેટલા ફોલોઅર્સ
પ્રવાસી શ્રમિકો સાથે રાહુલની વાતચીતને 7,52,000 લોકોએ જોઇ હતી, જ્યારે આરોગ્ય નિષ્ણાતો પ્રોફેસર આશિષ ઝા અને પ્રોફેસર જોહાન ગિસ્કે સાથે કોરોનો વાયરસ અંગેની તેમની વિડિઓ વાતચીત 90,000 થી વધુ લોકો સુધી પહોંચી હતી. પીએમ મોદીની યુટ્યુબ ચેનલના ફેસબુક પર 6.45 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અને 45 મિલિયન લાઇક્સ છે. ઉપરાંત ટ્વિટર પર 57.9 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર ગાંધીના 14.4 મિલિયન અને ફેસબુક પર 3.2 મિલિયન ફોલોઅર્સ છે.
કોંગ્રેસે ચલાવ્યું હતું અભિયાન
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે લિંક્વિઈન સહિત અન્ય પ્લેટફોર્મ પર પણ વિચાર કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર પાર્ટીના નેતાનો દાવો છે કે કોરોના વાયરસ પ્રેરિત લૉકડાઉનના સમયે પાર્ટીના સોશ્યિલ મીડિયા અભિયાનોએ જનતાનો પ્રતિસાદ મેળવ્યો. 28મેના રોજ સ્પીક અપ ઈન્ડિયા ઓનલાઈનમાં પણ સફળતા મળી હતી. તેમાં 5.7 મિલિયનથી વધારે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંદેશ અપલોડ કર્યા. ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે એક દિવસની ઝુંબેશ કરવામાં આવી હતી. જેથી રોગચાળાથી અસરગ્રસ્ત ખેડુતો, પરપ્રાંતિય મજૂરો, દૈનિક વેતન મજૂરો અને નાના ધંધાઓને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ સ્વીકારવામાં આવશે.
પૉડકાસ્ટરે કહી આ વાત
કોંગ્રેસની યોજના અંગે મુંબઇના એક પૉડકાસ્ટર અમિત વર્માએ કહ્યું, 'નેતાઓ માટે નાગરિકો સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. પૉડકાસ્ટિંગ એ વાતચીત કરવાનો ઉત્તમ માર્ગ હોઈ શકે છે, પરંતુ તે પછી જ રાજકારણીઓ દ્વિ-માર્ગે વાતચીત કરે છે. તેમને લોકો સાથે વાત કરવાનો માર્ગ શોધવો પડશે.